Abtak Media Google News

હોસ્પિટલ ચોકથી જામનગર રોડ તરફ જવા માટે બ્રિજ ઉતર્યા બાદ રૂડા કચેરી પાસેથી જવું પડશે: અન્ય વાહનો માટે અવર-જવર ચાલુ

શહેરના જામનગર રોડ પર આવેલા વર્ષો જૂના સાંઢીયા પુલની આયુષ્ય હવે પૂર્ણ થઇ જવા પામી છે ત્યારે અહિં પુલ પરથી ભારે વાહનોની અવરજવર બંધ કરવા માટે જાહેરનામું પ્રસિદ્વ કરવામાં આવ્યું છે. જેની ચુસ્ત અમલવારી કરાવવા માટે કોર્પોરેશન દ્વારા આજે સાંઢીયા પુલની બંને બાજુ અઢી મીટરની ઉંચાઇના એંગલ ફીટ કરી દેવામાં આવ્યા છે. જામનગર રોડ સાંઢિયા પુલ પર ભારે વાહનોની અવર-જવર બંધ કરવા હુકમ ફરમાવતા જાહેરનામાંના અનુસંધાને   મહાપાલિકા દ્વારા 2.5 મીટર ઉંચાઈના એંગલ ફીટ કરવામાં આવ્યા છે. ભારે કોમર્શિયલ વાહનો, મલ્ટી એક્ષેલ વાહનો, એસટી બસ, વોલ્વો બસ તથા 2.5 મીટરથી વધુ ઉંચાઈવાળા વાહનોએ વૈકલ્પિક રસ્તાઓ પરથી અવર-જવર શરુ કરી દેવામાં આવી છે.

Advertisement

વૈકલ્પિક રસ્તાઓ કાઢવામાં આવ્યા છે. જેમાં સિવિલ હોસ્પિટલ ચોકથી જામનગર રોડ તરફ જવા માટે ઓવર બ્રિજ ઉતર્યા બાદ રૂડા કચેરી પાસેથી વળીને રેસકોર્સ રીંગ રોડ થઈને રૈયા રોડ અથવા એરપોર્ટ રોડ પરથી માધાપર ચોકડી તરફ જઈ શકાશે.માધાપર ચોકડીથી આવતા સંજયનગર 24 મી. મેઈન રોડ અથવા બજરંગવાડી મેઈન પરથી 150 ફૂટ રીંગ રોડ અને સિટી તરફ જઈ શકાશે.

ભારે વાહનો સિવાયના તમામ 2 વ્હીલર, 3 વ્હીલર, 4 વ્હીલર, છકડો રીક્ષા, ટેમ્પો રીક્ષા વગેરે રાબેતા મુજબ સાંઢિયા પુલ પરથી અવર-જવર કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.