Abtak Media Google News
  • આમ આદમી પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં કરશે ચૂંટણી પ્રચાર

આમ આદમી પાર્ટીના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ જેલવાસ વેઢી રહ્યા છે. લોકસભાની ચૂંટણીમાં તેઓની પત્નિ સુનિતા કેજરીવાલે પ્રચારની જવાબદારી ઉપાડી લીધી છે. આવતીકાલે સુનિતા કેજરીવાલ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની પ્રચાર માટે આવી રહ્યા છે. ઇન્ડિયા ગઠબંધનના ભાગરૂપે ગુજરાતની લોકસભાની 26 બેઠકો પૈકી ભરૂચ અને ભાવનગર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેઓના સમર્થનમાં આવતીકાલે તેઓ ચૂંટણી પ્રચાર કરશે.

Advertisement

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સંગઠનના હોદ્ેદારો દ્વારા સુનિતા કેજરીવાલના ગુજરાત પ્રવાસને લઇ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ભાવનગર બેઠક પર “આપ” ઉમેદવાર તરીકે ધારાસભ્ય ઉમેશ મકવાણા જ્યારે ભરૂચ બેઠક પરથી ધારાસભ્ય ચૈતવ વસાવા ચૂંટણી લડી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.