Abtak Media Google News

મોરબીમાં ચાલી રહેલી રામકથાના સાતમા દિવસે કથા પ્રારંભે ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મોરબી જીલ્લા પ્રભારી પ્રફુલભાઈ અને અન્ય ધારાસભ્યોએ વ્યાસવંદના કરી હતી. ત્યારે સી.આર.પાટીલે પોતાનો શબ્દભાવ રાખી કથાના પ્રસંગ અનુરૂપ લોકો સમક્ષ સંબોધન કરી ભાવ પ્રગટ કર્યો હતો. ત્યારે બાપુએ જણાવ્યું કે અહીં કથાના મનોરથી મોહનભાઈને લીધે રોજ રોજ વડીલો આવે છે, કથાને કારણે કોણ કોણ આવે છે એ ખબર નહીં પણ આવે છે ખરા તેવી સહજ સ્વભાવે વિશેષ ટિપ્પણી કરી હતી.

Advertisement

કથાભૂમિ પર રામજન્મની વધામણા: રામકથાના સાતમા દિવસે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલએ વ્યાસપીઠને કર્યા વંદન

પૂજ્ય બાપુએ જીવનયાત્રાના ચાર ભાગ વિષે સમજાવવામાં આવ્યું હતું જેમાં સૌ પ્રથમ યાત્રા બાળપણ વિષે જણાવ્યું હતું કે એ ભાગમાં સંસ્કાર અપાઇ જવા જોઈએ. નાંદીમુખ, નામકરણ, યજ્ઞોપવિત ભલે કદાચ ન થાય પણ નામકરણ વ્યવસ્થિત થાય છે. એ પછી પચીસ વર્ષથી યુવાની શરૂ થાય ત્યારે સંસાર કરવાની છૂટ અપાવી જોઈએ. પ્રજા તંતુ આગળ વધારો એવો ઉપનિષદ આદેશ આપે છે. તૈતરીય ઉપનિષદમાં દિક્ષાંત સમારોહમાં આવા પાઠ થતા. ત્રીજો ભાગ સંધાન છે. જેને વાનપ્રસ્થ કહીએ છીએ. સંધાન એટલે બ્રહ્મનું સંધાન, જ્ઞાનનું સંધાન-અનુસંધાન. ઋષિઓએ વાનપ્રસ્થમાં ખોજો કરી છે. વૈજ્ઞાનિકોએ પણ મોટાભાગે આ અવસ્થામાં શોધ કરી છે કારણ કે ભવનમાં બેસીને અનુસંધાન નહીં થાય. વનમાં પાંદડાઓ જોઈ અને પીપ્લાદ મુનિએ સંશોધન કર્યું નોબેલ પારિતોષ પણ મોટા ભાગે આ જ ઉંમરમાં સંશોધનોથી મળ્યા છે.

ચોથો પડાવ એ સન્યાસ માટે છે. અત્યારે કળિયુગમાં સંન્યાસ લઈને નીકળી ન શકીએ પણ પ્રેક્ટીકલ રહેવું. એટલે આપણે ભાગી જવું નથી આટલા બધા મહાપુરુષોએ સંન્યાસ લીધો છે જે  આપણું કલ્યાણ કરશે. એક માણસ એના પરિવારને જાગૃત કરી દે તો એ સન્યાસ છે. સો કુલ ધન્ય ઉમા સુનું જગતપૂજ્ય સુપુનિતા વેશમાં નહીં વૃત્તિમાં સંન્યાસ આવવો જોઈએ. આ ચાર પડાવમાં આપણે ગતિ કરવાની છે.   શ્રદ્ધા વગર હોમ હવન દાન કર્મ કરશો તો નિષ્ફળ જશો. શ્રદ્ધા જ અગ્નિ છે. જે શ્રદ્ધાથી પ્રાત:કાળે મધ્યાહ્નમાં કે સંધ્યાએ કામ કરીએ છીએ એ શ્રદ્ધા વગર ધર્મ જ ના હોય એમ રામચરિત માનસ કહે છે. પૃથ્વી ન હોય તો જગતમાં ગંધ ના હોય. બાપુએ તે જૂની યાદને વાગોળતા કહ્યું કે ભાણદેવજીના ગુરુ-ગોંડલના નાથાલાલ ભાઈને ત્યાં એક વખત અમરદાસ બાપુ ખારાવાલા સાથે માત્ર દર્શન કરવા માટે ગયા હતા.

કંઈ પૂછવું ન હતું પણ અમરદાસબાપુએ પ્રશ્ન પૂછ્યો કે આપે આ બધું જ પામ્યું છે એનું રહસ્ય શું છે? ત્યારે નાથાલાલ ભાઈ જોશી બોલ્યા કે રામનામથી આ બધું પામ્યો છું.

ફરી વખત જ્યારે હું એકલો મળવા ગયો ત્યારે નાથભાઈએ કહ્યું કે આ બધું સાર્વજનિક ન કરતા, પ્રસિદ્ધિથી દૂર રહેનાર એ મહાપુરુષ પણ આજે હું તમને આ સ્હેજ વાત કરી રહ્યો છું.

સારામાં સારો સથવારો સાધુનો સંગ.ભલે એ બલવંત,છલવંત, કલવંત નથી પણ સો એ સો ટકા શીલવંત હોવો જરૂરી છે.આદિ શંકરાચાર્યજીએ ત્રણ વસ્તુને દુર્લભ કહી છે:

મનુષ્ય શરીર, મોક્ષની ઈચ્છા-મુમુક્ષત્વ અને મહાપુરુષનો સંગ આ દુર્લભ છે. કથાપ્રવાહમાં ભગવાન શિવના વિવાહ પછી શિવજી જ્યારે સહજ રીતે આસન ધારણ કરીને બેઠા છે અને સતી રામજન્મના હેતુઓ,રામ જન્મના કારણો પૂછે છે.એ હેતુ અને કારણોની સંક્ષિપ્ત અને સંવાદી કથાઓનું ગાન કરી અને મોરબીની કથાભૂમિ ઉપર રામજન્મની વધાઈ સાથે સમગ્ર જગતને રામ જન્મની વધાઈ આપવામાં આવી.

રામકથામા પૂ.મોરારી બાપુ દ્વારા અમૃતવચન પાંચ વસ્તુ બે બે કરવાની સલાહ

બાપુએ આજે જણાવ્યું કે જો થઈ શકે તો આ પાંચ વસ્તુ બે-બે કરજો: જેમાં પહેલું દીવા બે કરવા. એક દીવો કરવાને બદલે બે દીવા પ્રજ્વલિત કરવા. આમ તો આપણી આંખ એ દીપક છે-નેત્રદીપક પણ બે છે. બીજું- ગુરુની બે પાદુકાઓ રાખવી. ત્રીજું- જે ગ્રંથને માનતા હો, ઇષ્ટગ્રંથ જે પણ હોય. છતાં પણ બે ગ્રંથ-રામચરિત માનસ અને ગીતાજી ઘરમાં રાખવા. કારણ કે: *રામાયણ ગીતા મારી અંતર આંખો;* *હરીએ દીધી છે મને ઉડવાની પાંખો.ચાર- જો શક્ય બને તો બે માળા-કરમાળા અને કંઠમાળા. હાથમાં માળા કે બેરખો અને ગળાની અંદર તુલસીની માળા અથવા તો આપને જે યોગ્ય લાગે એ માળા ધારણ કરવી.પાંચમુ- મંત્રબે શબ્દનો-રામનામનો મંત્ર જો શક્ય બને તો રાખવો. આટલું કરવાથી આપણે ત્યાં કાયમ દિવાળી, કાયમ દશેરા હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.