Abtak Media Google News

છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં હાર્ટએટેકના  કેસ વધી રહ્યા છે ગરબાની પ્રેકિટસ કરતા યુવાનો હૃદય રોગના તિવ્ર  હુમલાથી મોતને  ભેટી રહ્યા છે જેનાથી સરકાર પણ ચિંતિત છે નવરાત્રી દરમ્યાન ખેલૈયાઓને હૃદય રોગનો હુમલો આવે તો તેવા સમયે તાત્કાલિક સ્થળ પર જ તેમને સારવાર મળી રહે તે માટે   આરોગ્ય વિભાગ સજ્જ રહે તે માટે જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવશે.

Advertisement

આ સાથે દાંડિયા રાસના આયોજકો પણ ઇમરજન્સી સારવારમાં મદદ રૂપ બની શકે તે માટે    પી.ડી.યુ.મેડીકલ કોલેજ, રાજકોટ ખાતે નવરાત્રીમાં દાંડીયા રાસનું આયોજન કરનાર જુદા જુદા તમામ આયોજકો માટે દાંડીયા રાસ દરમ્યાન દાંડીયાના રસિકોને અચાનક હ્રદયરોગના હુમલા સમયે દર્દીને તાત્કાલિક આપવાના થતાં સીપીઆર  અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.