Abtak Media Google News

સોમનાથ ટ્રસ્ટના પૂર્વ અધ્યક્ષ કેશુભાઇ પટેલની પાંચમી  માસીક પૂણ્યતીથી નિમિત્તે શ્રી સોમનાથ ટ્રસ્ટ અને હમીરજી ગોહિલ ટ્રસ્ટના સંયુક્ત  ઉપક્રમે ભાટીયા ધર્મશાળા નજીક માનવ દિવાલ આજરોજ શરૂ કરવામાં આવી છે. જેમા લોકોને બિનજરૂરી કપડા-વસ્તુઓ  જરૂરીયાતમંદો માટે સ્વૈચ્છીક રીતે મુકી શકે તેમજ જરૂરીયાતમંદોને કામ આવે તેવા શુભાશય સાથે ધુળેટીના પાવન પર્વે સાંજે આ માનવ દીવાલની શુભ શરૂઆત થયેલી છે. જે જરૂરીયાતમંદ લોકો માટે વરદાન રૂપ બની રહેશે. આ પ્રસંગે સોમનાથના સ્થાનીક અગ્રણીઓ તથા સોમનાથ ટ્રસ્ટના અધિકારી કર્મચારીઓ ઉપસ્થીત રહ્યા હતા. તસ્વીર: જયેશ પરમાર-પ્રભાસ પાટણ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.