Abtak Media Google News

અયોધ્યા જમીન વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુરુવારે મધ્યસ્થતા કમિટીનો રિપોર્ટ જોયા પછી સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે મધ્યસ્થતા કમિટીને 31 જુલાઈ સુધીનો સમય આપ્યો છે.

ત્યારપછી 2 ઓગસ્ટથી બપોરે 2 વાગ્યાથી ઓપન કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે. એટલે કે 2 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટ નિર્ણય લેશે કે આ વિવાદનો ઉકેલ મધ્યસ્થતાથી નીકળે એમ છે કે તેની રોજ સુનાવણી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.