Abtak Media Google News

ધોરાજીના દરબારીવાળા પાસે આવેલ ચમાલીયા વિસ્તારમાં રહેતા દાદાભાઇ ફકીરના ઘરમાં ભૂગભ ગટરનું પાણી રીવર્સમાં આવતા આખુ ઘર ગંદકીથી લથબથ થઇ ગયું હતું.અધિકારીઓને ફરીયાદ કરેલ કે ભૂર્ગભ ગટરનું પાણી રીર્વસ આવે છે. છતાં કોઇપણ કાર્યવાહી ન કરતા આજે આખા ઘરમાં ગટરનું પાણી આવતા હેરાન પરેશાન થઇ ગયા અને બાજુની શેરીમાં પણ ભુર્ગભ ગટરના પાણી બહાર નીકળે છે. એક તરફ સ્વાઇન ફુલુ જેવા રોગોનો વધારો થાય છે  અને ગટરના ગંદા પાણી ઘરમાં અને જાહેર રોડ પર નીકળે છે. છતાં તંત્ર દ્વારા કોઇપણ પ્રકારનું રીપેરીંગ કરાતું નથી. આ પરીવારને રસોઇ કે ઘરમાં કેમ રહેવું તે પણ પ્રશ્ન છે.

Advertisement

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.