Abtak Media Google News

વોર્ડ નં.૦૪માં આસ્થા વેન્ટીલામાં મેટલીંગ-ડ્રેનેજ કામ તથા ઉજવલ સોસાયટીમાં ડ્રેનેજ કામનું ખાતમુહૂર્ત કરતા માન. મેયરશ્રી બિનાબેન આચાર્ય તથા સાંસદ મોહનભાઈ કુંડારિયા

રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાશકો દ્વારા “સૌનો સાથ સૌનો વિકાસ” સાથે શહેરીજનો માટે જુદા જુદા વિકાસના કાર્યો કરવામાં આવે છે. તેવા જ એક ભાગરૂપે વોર્ડ નં.૦૪માં લોકોની વધુ સારી સુવિધા લક્ષમાં લઇ વોર્ડ નં.૦૪માં આસ્થા વેન્ટીલામાં મેટલીંગ-ડ્રેનેજ કામ તથા ઉજવલ સોસાયટીમાં ડ્રેનેજ કામનું ખાતમુહૂર્ત માન. મેયરશ્રી બિનાબેન આચાર્ય તથા સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયાના વરદ હસ્તે કરવામાં આવેલ.

Advertisement

આસ્થા વેન્ટીલામાં મેટલીંગ કામ રૂ.૨.૦૯ કરોડના ખર્ચે કરવામાં આવશે. જેમાં, ટી.પી. ૧૪,૧૭,૧૮માં ટી.પી. રોડ પર મેટલીંગ કામ કરવામાં આવશે. તથા ડ્રેનેજ કામ રૂ.૧.૨૮ કરોડના ખર્ચે કરાવવામાં આવશે. જેમાં, શ્રી વાટિકા, સદગુરુ નગર, વોરા સોસાયટી તથા પારવડી ચોકથી રણછોડદાસ બાપુ આશ્રમ મેઈન લાઈન તથા હાઉસ ચેમ્બરની કામગીરી કરવામાં આવશે.

ઉજવલ સોસાયટીમાં ડ્રેનેજ કામ રૂ.૪૯.૯૬ લાખના ખર્ચે કરવામાં આવશે જેમાં શિવપરા, અભિરામ, જલાસાંઈ પાર્ક વિગેરે વિસ્તારોને ડ્રેનેજની સુવિધા મળી રહેશે.

આ પ્રસંગે મેયરશ્રી બિનાબેન આચાર્ય, સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા, પૂર્વ પ્રમુખ રાજકોટ શહેર ભાજપ નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્યશ્રી અરવિંદભાઈ રૈયાણી, ડે.મેયર અશ્વિનભાઈ મોલિયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર, ડ્રેનેજ સમિતિ ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા, વોર્ડ પ્રભારી અશોકભાઈ લુણાગરીયા, વોર્ડ પ્રમુખશ્રી સંજયભાઈ ગોસ્વામી,મહામંત્રી કાનાભાઈ ડંડૈયા, સી.ટી.પટેલ, પૂર્વ મહામંત્રી દેવદાનભાઈ કુંગશીયા, ભરતભાઈ લીંબાસીયા, પૂર્વ કોર્પોરેટર રસિકભાઈ પટેલ, વોર્ડ નં.૪ યુવા પ્રમુખ ચંદુભાઈ ભંડેરી, ઉપપ્રમુખ વિજયભાઈ કુંભારવાડિયા, લલીતભાઈ ઘેટીયા, વોર્ડ અગ્રણીયશ્રી જનકભાઈ કુંગશિયા, અમિતભાઈ, દિનેશભાઈ ચૌહાણ, મુકેશભાઈ, અજયભાઈ લોખિલ, મલ્કેશ પરમાર, હિતેશભાઈ ગોહેલ, જેસીંગભાઈ રાઠોડ, વિનોદભાઈ જાની, પ્રવિણભાઈ પટેલ, જે. ડી. ભાખર, રામભાઈ બિહારી, સુરેશભાઈ તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.