Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસના અવસરે ભારતીય જનતા પાર્ટી, રાષ્ટ્રીય અનુ. જાતિ મોરચા દ્વારા દેશભરમાં વસ્તી સંપર્ક અભિયાનનો પ્રારંભ કરવામાં આવેલ હતો.

આ અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા દ્વારા રાષ્ટ્રીય અનુ. મોરચાને વર્ચ્યુઅલ સંબોધન કરાયું હતું અને વિસ્તૃત માર્ગદર્શન પુરુ પાડયું હતું. આ તકે આ વર્ચ્યુઅલ બેઠકમાં રાજકોટ મહાનગરમાંથી પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ અનુ.જાતિ મોરચાના  પ્રભારી મહેશ રાઠોડ, પ્રમુખ મહેશ અઘેરા, મહામંત્રી વજુભાઇ લુણસીયા, કોર્પોરેટર રણજીતભાઇ સાગઠીયા સહીતના જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.