Abtak Media Google News

સી.આર.પાટીલ કહે ત્યારે મનીષ સિસોદિયા ગુજરાતની સરકારી સ્કૂલ જોવા આવશે: રાજગુરૂ

આમ આદમી પાર્ટી નેશનલ જોઈંટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજગુરુએ  મીડિયાને સંબોધતા કહ્યું કે, ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ નિવેદન કર્યું છે. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં ચૂંટણી થવાની છે અને જ્યારે અરવિંદ કેજરીવાલજી અને ‘આપ’ના બીજા દિગ્ગજ નેતાઓ ગુજરાત આવે છે ત્યારે ગુજરાતના લોકો તેમને સ્કૂલો બતાવે છે અને કહે છે કે દેખો કેટલી ખરાબ સ્કૂલો છે અને પાછલા ર7 વર્ષથી ભાજપે સ્કૂલો માટે કંઈ જ કામ કર્યું નથી. જ્યારે ‘આપ’ના નેતાઓ ગુજરાત આવીને કહે છે કે તેમને પાંચ વર્ષમાં સ્કૂલ બદલી છે અને ભાજપે પાછલા ર7 વર્ષથી સ્કુલો માટે કઈ કર્યું નથી. તેના જવાબમાં સી.આર.પાટીલજીએ નિવેદન કર્યું છે કે, જે લોકો બહારથી આવીને કહે છે કે ગુજરાતમાં સ્કૂલો નથી બની હું તેમને કહેવા માગું છું કે ગુજરાત સરકારે સુરતમાં 73 સ્કૂલોમાં સ્માર્ટ બોર્ડ લગાવીને તેને ઠીક કરી છે.

અમને જાણીને ખુશી થઈ કે જનતાના ડરથી ર7 વર્ષ પછી ભાજપે કમ સે કમ 73 સ્કૂલો તો ઠીક કરાવી છે અને સાથે જાણીને દુ:ખ પણ થયું કે ર7 વર્ષમાં ભાજપે ફક્ત 73 સ્કૂલ જ ઠીક કરાવી છે. અમે ડેટા ચેક કરતા હતા અને અમે હિસાબ લગાવતા હતા કે સ્કૂલો ઠીક કરતા ગુજરાતમાં કેટલા દિવસ લાગે. અમે ગુજરાતના ખૂણે ખૂણે જઈને સ્કૂલો જોઈ છે તે બધી સ્કૂલો ખરાબ પડી છે, ભણવાની સુવિધા નથી, શિક્ષકોની કોઈ વ્યવસ્થા નથી, જો આ લોકો ર7 વર્ષમાં અત્યારે 73 સરકારી સ્કૂલ ઠીક કરે છે તો ગુજરાતમાં કુલ 40,800 સરકારી સ્કૂલો છે. તો એ પ્રમાણે આ બધી સ્કૂલો ઠીક કરતા ભાજપને 15000 વર્ષો વીતી જશે.

હું તેમણે કહેવા માગું છું કે ભાજપનો આ ફોમ્ર્યુલા ખૂબ જ ભંગાર છે. ર7 વર્ષમાં 73 સ્કૂલ ઠીક કરવાનો ફોર્મુલા ગુજરાતના કોઈ પણ કામનો નથી. ગુજરાતની જનતા ઈચ્છે છે કે પાંચ વર્ષમાં જ સ્કૂલો ઠીક થઈ જાય, હજારો વર્ષો સુધી જનતા રાહ જોવા નથી માંગતી. એટલે જ આજે ગુજરાતની જનતા અરવિંદ કેજરીવાલજીના કામ પર વિશ્વાસ કરી રહી છે કે જો કેજરીવાલજી દિલ્હીની સ્કૂલો ઠીક કરીને બતાવી શકે છે તો ગુજરાતની સ્કૂલો પણ આમ આદમી પાર્ટીની સરકાર પાંચ વર્ષમાં ઠીક કરી શકે છે. હું ગુજરાતમાં ઘણી જગ્યાએ સરકારી સ્કૂલો જોવા ગયો હતો અને ત્યાં મેં જોયું કે ગુજરાતની સ્કૂલોની હાલત કેટલી ખરાબ છે.

મનીષ સિસોદિયાજી પહેલા પણ ગુજરાતની સરકારી શાળાઓ જોવા ગયા હતા અને તેમણે જોયું હતું કે ગુજરાતમાં કેવી સ્કૂલો છે. મનીષ સિસોદિયાજીએ સી.આર.પાટીલને આગ્રહ કર્યો છે, તેઓ ક્યારે ગુજરાત આવે અને ગુજરાત આવીને સૌથી પહેલા આપણે શિક્ષણ મંત્રીજીના વિસ્તારથી શરૂઆત કરીશું. ત્યારબાદ બીજા વિસ્તારોની શાળાઓ પણ જોઈશું. આપણે એ પણ જોઈશું કે કઈ જગ્યાએ ભાજપે શાળાઓ ઠીક કરી છે અને ક્યાં ક્યાં જનતા સ્કૂલોને ખરાબ બતાવી રહી છે. તો આમ આપણે દરેક પ્રકારની સ્કૂલો જોઈશું. ત્યારબાદ અમે સી.આર.પાટીલજીને પણ આમંત્રિત કરીશું કે તમે પણ દિલ્હી આવો અને દિલ્હીમાં અરવિંદ કેજરીવાલજી દ્વારા બનાવેલી સ્કૂલો જોવો કે કઈ રીતે તેમણે પાંચ વર્ષમાં શાળાઓ બદલી નાખી અને તમે પણ તેમણે બતાવજો કે ક્યાં સ્કૂલો ઠીક કરવાની રહી ગઈ છે અને ક્યાં બદલાઇ છે. આ ખુબ જ સારી બાબત છે કે સ્કૂલો પર ચર્ચા થઈ રહી છે. પરંતુ મને આશા છે કે સી.આર.પાટીલ પોતાના આમંત્રણથી ફરી જશે નહીં અને બહુ જલ્દી ગુજરાતના શિક્ષણમંત્રીના વિસ્તારની શાળાઓ જોવા માટેના આમંત્રણની તારીખ આપશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.