Abtak Media Google News
  • હાસ્ય કલાકાર દેવરાજભાઈ ગઢવી આશાબેન વૈશ્ર્નવ સહિતના કલાકારો રમઝટ બોલાવશે
  • ગણતરીની મિનીટોમાં જ 30,000 લોકોને દુધપૌવાની પ્રસાદી મળી રહે તેવી વ્યવસ્થા

રાજકોટની સામાજીક અને સેવાકીય પ્રવૃતિ કરતી ઉમિયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટ તથા ઉમિયા યુવા સોશ્યલ ગૃપ દ્વારા શરદપુનમની રઢીયાળી રાતે તા. 9 ને રવિવારે 18 મો શરદોત્સવ યોજાશે. જેમાં પારીવારીક સાંસ્કૃતીક તેમજ હાસ્યરસના કાર્ય%મ નું આયોજન કરવામાં આવ્યુ છે. શરદોત્સવના આ કાર્યક્રમમાં સ્વર્ગસ્થ પાટીદાર મહાનુભાવોના સ્મરણાર્થે રક્તદાન કેમ્પ યોજાશે.

રાજકોટના કાલાવડ રોડ પર રંગોલી પાર્ક પાછળ કર્ણાવતી પાર્ટીપ્લોટ ખાતે તા.9 ઓકટોમ્બર રવિવાર રાત્રીના સાડા આઠ કલાકે યોજાનારા શરદોત્સવમાં રાજકોટમાં વસતા અંદાજે રપ,000 કડવા પાટીદાર પિરવારો એક્સાથે બેસીને દુધપૌવા તેમજ સાંસ્કૃતીક કાર્યક્રમ માણી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમના અધ્યક્ષ્ તરીકે પટેલ સમાજ રાજકોટના પ્રમુખ અરવિંદભાઈ પટેલ, તેમજ દિપ પ્રાગટય પાટીદાર શ્રેષ્ઠી બાનલેબના મૌલેશભાઈ ઉકાણી, નંદલાલભાઈ માંડવીયા, જીવનભાઈ ગોવાણી, વલભભાઈ વડાલીયા, મુળજીભાઈ ભીમાણી, મનસુખભાઈ પાણ, નાથાભાઈ કાલરીયા, કેતનભાઈ ધુલેશીયા, કે.બી.વાછાણી, ચંદુભાઈ સંતોકી, ધીરૂભાઈ સી. ડઢાણીયા, મોહનભાઈ કુંડારીયા, અશોકભાઈ વૈશ્ર્નાણીના હસ્તે થશે. શરદોત્સવના આ કાર્યક્રમમાં સ્વર્ગસ્થ પાટીદાર સમાજના શ્રેષ્ઠી અને દાતાઓ એવા સ્વ. લમણભાઈ માંડવીયા, સ્વ. મેધજીભાઈ પટેલ, સ્વ. કરમણભાઈ ગોવાણી, સ્વ. ભીખુભાઈ અમૃતીયા ના સ્મરણાર્થે ફીડમાર્શલ બ્લડબેંક તથા રાજકોટ વોલેન્ટરી બ્લડબેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરાયુ છે. જેમાં દાતાઓના પિરવાર ઉપસ્થિત રહેશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ઉમીયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટના કારોબારી સભ્યો પો. જે.એમ઼ પનારા, જેન્તીભાઈ મારડીયા, હસમુખભાઈ કાનાણી, રસિકભાઈ વેકરીયા, સી.એન.જાવીયા, રેનીશ શોભાણા, નયન વાછાણી, નિલેશ શેખાત, જયેન્દ્ર ઝારસાણીયા, મગનભાઈ કોરડીયા, રમેશભાઈ કણસાગરા, જયેશ પેશીવાડીયા, જી.સી.પટેલ, અશ્ર્વિનભાઈ કાંજીયા, મગનભાઈ ખીરસરીયા, જયેશભાઈ કણસાગરા,  અમુભાઈ કણસાગરા,  નટવરલાલ મક્વાણા, કેતન ભુત, પ્રવિણ કગથરા, કેયુર કણસાગરા, હિમાંશુ વડાલીયા, પરેશ માણાવદરીયા, પ્રકાશ ધેટીયા, ભગવાનજી કાનાણી, દિનેશ ચાપાણી, સન્ની ખાંટ, પંકજ ફુલતરીયા, મહેન્દ્રભાઈ કાસુન્દ્રા, અશ્ર્વિન કાલરીયા, મનસુખ ભેંસદડીયા, પંકજ સીતાપરા, નાગજીભાઈ ડઢાણીયા, યોગેશ કાલરીયા, મહાદેવભાઈ સાણંદિયા, પિયુષ કાલાવડીયા, દિલીપ કંટારીયા, કપેશ અધેરા, પ્રવિણભાઈ મણવર, આકાશ બકોરી, પરીન દલસાણીયા, રાજુભાઈ મણવર, કીરીટભાઈ બુટાણી, કે.વી.પબાણી, પિયુષ સીતાપરા, ચતુરભાઈ ભીમાણી, રસીકભાઈ દલસાણીયા, વૃજલાલ નાદપરા, હસમુખભાઈ ચાંગેલા, ચંદુભાઈ ગોવાણી, ભરતભાઈ દેપાણી, ધવલ વડાલીયા, અતુલ ધીંગાણી, ચંદ્રેશ સવસાણી, હિતેશ શોભાણા, ચિરાગ દેસાઈ, પોપટભાઈ ભાલોડી, વિપુલ વડાલીયા, અપેશ વડાલીયા, દિપક કાલરીયા, જીગ્નેશ વિરોજા, જીતેન્દ્રભાઈ ડઢાણીયા, જેન્તીભાઈ ગોઠી, સંજય કટારીયા, પારસ માકડીયા, નીતીન કાનાણી, જીતેન્દ્ર લાડાણી, અર્જુન બરોચીયા સાવન અધેરા તથા ઓફિસ મેનેજર જેન્તીભાઈ આલોદ્રા જહેમત ઉઠાવી રહયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.