Abtak Media Google News

રાજકોટ જીલ્લા ભાજપા દ્વારા “સંપર્ક ફોર સમર્થન” અંતર્ગત સંતો મહંતોના આશીર્વાદ સાથે સમર્થન પ્રાપ્ત કર્યું હતું

રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહ સહીત સમગ્ર દેશભરમાં ભાજપાના હજારો આગેવાનો “સંપર્ક ફોર સમર્થન” અભિયાન અંતર્ગત સમાજ જીવનમાં વિશિષ્ઠ સ્થાન ધરાવતા અગ્રણીઓને રૂબરૂ મળીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના ૪ વર્ષના કાર્યો જનકલ્યાણકારી યોજનાઓ તથા સિદ્ધિઓને અવગત કરાવવા અંતર્ગત રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષશ્રી ડી.કે.સખીયા તથા ગ્રામ્ય ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠીયાએ મુંજકા આશ્રમના પ.પુ. પરમાત્માનંદજી તથા સંતવર્યશ્રી સર્વાંતીતાનંદ સ્વામીની સાથે મુલાકાત કરી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની ૪ વર્ષની સિદ્ધિઓ અને સુશાસન અંગે વાત કરી હતી અને ચર્ચા-વિમર્શ કર્યો હતો. આ તકે રાજકોટ જીલ્લા ભાજપા બૌદ્ધિક સેલ કન્વીનરશ્રી રાજેન્દ્રભાઈ ધારૈયા તથા ITSMના કન્વીનરશ્રી હિરેનભાઈ જોશી સાથે રહ્યા હતા. તેમ રાજકોટ જીલ્લા ભાજપાના પ્રેસ-મીડિયા કન્વીનરશ્રી અરુણભાઈ નિર્મળની અખબારી યાદીમાં જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.