Abtak Media Google News
  • વાંકાનેર ડેપો બાદ સિધ્ધપુર ડેપોની બસમાં પણ વડાપ્રધાનની તસવીર જોવા મળી

ચૂંટણીની તારીખો જાહેર થતાં ની સાથે જ આચારસંહિતાનો અમલ થઈ જાય છે અને આચાર સહિતાના અમલીકરણમાં જે તે જિલ્લા કલેક્ટર (મુખ્ય ચૂંટણી અધિકારી) દરેક સરકારી અધિકારીઓને સરકારી વાહનો કે સરકારી કચેરીઓમાં થી રાજકીય મહાનુભાવોની તસવીરો હટાવી દેવા અંગે આદેશ કરવામાં આવે છે અને જે અંગે વારંવાર સૂચનાઓ પણ અપાતી હોવા છતાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી) ની ઘણી બસોમાં જિલ્લા કલેકટર નો આદેશનો ઉલાળીયો કરી આચારસંહિતાને અમલમાં આવ્યા ને લાંબા સમય પછી પણ એસ.ટી ની બસોમાં આચાર સંહિતા નો ખુલ્લેઆમ ભંગ થાય છે. અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કેટલાક ડેપો મેનેજરો શાસક પક્ષની ચાપલુસી કરી રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાય છે. કારણ કે તાજેતરમાં વાંકાનેર ડેપો ની બસમાં મુખ્યમંત્રી અને વડાપ્રધાન ની તસ્વીરો બારી નંબર 1 અને 2 પાસે યાત્રિકોને સ્પષ્ટ નજરે દેખાય તે પ્રકારે હતી. ગઈકાલે ગજેન્દ્રસિંહ ઝાલા અમદાવાદ થી પરત આવતા હોય ત્યારે સિદ્ધપુર અમદાવાદ રાજકોટ જામનગર બસ નં ૠઉં18ણ 6089 (સિધ્ધપુર ડેપો) માં કંડકટરની સીટની ઉપરના ભાગમાંથી વડાપ્રધાનની તસવીર યાત્રિકોને સ્પષ્ટ નજરે દેખાઈ તે પ્રકારે લગાવવામાં આવી હતી જે આચાર સંહિતાનો ખુલ્લેઆમ ભંગ થતો હતો.

જે પગલે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ ના ગજેન્દ્રસિંહ ઝાલા દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી તેમજ બસમાંથી સિદ્ધપુર ડેપો મેનેજર (મો :- 63599 18702) ને મોબાઇલમાં વડાપ્રધાનની તસવીર અંગે બસમાંથી જ ઉગ્ર રજૂઆત કરતા ની સાથે જ ગણતરીની મિનિટમાં તે બસના કંડકટરને ડેપો મેનેજર દ્વારા આદેશ કરવામાં આવ્યો કે બસની અંદર જે વડાપ્રધાન ની તસ્વીર છે એ તાત્કાલિક હટાવી દેવાની છે. જે પગલે કંડકટર દ્વારા તાત્કાલિક વડાપ્રધાન ના ફોટા ને ભુસી નાખવામાં આવેલ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.