Abtak Media Google News

સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલ સોમનાથ મહાદેવનું મંદિર કરોડો લોકોની આસ્થાનું પ્રતિક છે. દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના મંદિરે શીશ ઝૂકાવવા આવતા હોય છે. બોલીવુડ સ્ટાર પણ અનેક વાર સોમનાથ મહાદેવના શરણે આવતા હોય છે ત્યારે આજ રોજ બૉલીવુડ ફિલ્મ જગતના  મશહુર અભિનેતા સુરજ પંચોલી અને આદિત્ય પંચોલી મહાદેવના દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા.

Whatsapp Image 2023 06 07 At 17.00.10

સોમનાથ ખાતે બૉલીવુડ ફિલ્મ જગતના ફેમસ અભિનેતા આદિત્ય પંચોલી અને સૂરજ પંચોલી પ્રથમ જ્યોતિલીગ સોમનાથ મહાદેવના દર્શને આવ્યા હતા અને દાદાના ચરણોમાં શીશ  ઝુકાવ્યું હતું.

Whatsapp Image 2023 06 07 At 17.00.10 1

આ પ્રસંગે ગુજરાત પ્રદેશ મંત્રી ભાજપ ઝવેરીભાઈ ઠકરાર, ગિરસોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી  દિલીપભાઈ બારડ, જૂનાગઢ ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા ,અખિલ ગુજરાત માછીમાર સમાજ પ્રમુખ  કિશોરભાઈ કુહાડ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.