Abtak Media Google News

અબતક,અતુલ કોટેચા, વેરાવળ

દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ના સાનિધ્યમાં આગામી તા.01 માર્ચના રોજ મહા શિવરાત્રિ પર્વએ ભવ્ય મહોત્સવ યોજાનાર હોય, આ પવિત્ર દિને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી-સેક્રેટરી શ્રી પ્રવિણભાઇ ક. લહેરી દ્વારા રાજકોટના રાજવી પરિવારને સહપરિવાર શિવરાત્રિના પૂજન માટે નિમંત્રીત કરેલ, આ નિમંત્રણ સહર્ષ સ્વીકારી મહાશિવરાત્રિ પર્વે ધ્વજાપુજન માં રાજવી પરિવાર ખાસ ઉપસ્થીત રહેશે.

શ્રી સોમનાથ ટ્રસ્ટની સ્થાપના સમયે સૌરાષ્ટ્ર રાજ્યના રાજપ્રમુખ શ્રી દિગ્વિજયસિંહજી જામ સાહેબની સોમનાથ ટ્રસ્ટના પ્રથમ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવેલ. તેઓએ દેશભરના રાજવીઓને પત્ર દ્વારા અંગત વિનંતી કરી મંદિર નિર્માણ માટે આર્થીક અનુદાન માટે પહેલ કરી હતી જેમાં ઉત્કૃષ્ટ સહયોગ સાંપડ્યો હતો.

શ્રી સોમનાથ ટ્રસ્ટના મંદિરના નિર્માણના ભગીરથ કાર્યમાં પ્રદાન કરનાર રાજવીઓના પ્રતિનીધી તરીકે રાજકોટના મહારાજા (પૂર્વ રાજવી પરીવારના) શ્રી માંધાતા સિંહ તથા પરિવાર ખાસ મહાશિવરાત્રિ પૂજન માટે ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.