Abtak Media Google News

જેતપુરના સમાકાંઠે વિસ્તારમાં પી.જી.વી.સી.એલ નો વીજ વાયર ટેલિફોન ના વાયરને અડી શોટ સર્કિટ સર્જાતા  બી.એસ.એન.એલ ના કર્મચારીનું મોત નીપજ્યું હતું અને તેના પત્ની ને ઇજા પોહચી હતી.

જાણવા મળતી વિગત મુજબ અહીંના સમાકાંઠે વિસ્તારમાં રહેતા અને બી.એસ.એન.એલ માં નોકરી કરતા ફક્રુદિનભાઈ મન્સૂરી તેમજ તેના પત્ની બંને પલંગ પર બેઠા હતા તે દરમિયાન અચાનક વીજ અચકો આવતા ફકૃદિનભાઈ નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને તેના પત્ની ને સામાન્ય ઇજા પોહચી હતી.

આ ઘટના ની જાણ થતાં લતાવસિયો એકઠા થયા હતા અને તંત્ર ને જાણ કરવામાં આવી હતા.મૃતકને પી.એમ માટે અહીંની સરકારી હોસ્પિટલમાં લાવામાં આવ્યા હતા.આ અંગે વધુ તપાસ એ.એસ.આઈ વી.યુ.આરબ ચલાવી રહયાં છે આજે સવારે અહીંના સમાકાંઠે વિસ્તારમાં ફકૃદિનભાઈ ના મકાનની બાજુમાં ૧૧ કે.વી નો પોલ આવેલ હોઈ જે છેલ્લા ઘણા દિવસ થી નમી ગયેલ હાલતમાં જોવા મળી રહ્યો હતો.

અને પોલ નમી જવાને કારણે તેના વાયરો ઢીલા પડી ગયા હતા અને આજે સવારે આ ૧૧ કે.વી નો ચાલુ પાવર મૃતકના અગાસી પર રહેલ ટેલિફોન ના વાયરને અડી ગયો હતો અને આ વાયર મકાનના લોખંડ ના ડેલા સાથે બાંધેલ હોઈ જે પલંગ અને ડેલા માં શોટ પલંગ પર બેઠેલ ફક્રુદિનભાઈ તેમજ તેના પત્ની ને લાગતા ફક્રુદિનભાઈ નું મોત નીપજ્યું હતું અને તેના પત્ની ને ઇજા પોહચી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.