Abtak Media Google News

ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિકરને પેટમાં અચાનક દુખવો થતા તેમને ફરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રવિવારે સાંજે પારિકરે બેચેની અને પેટમાં દુખાવાની ફરિયાદ કરતા ગોવાની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગોવાના સ્વાસ્થય મંત્રી વિશ્વજીત રાણેએ જણાવ્યું કે, પારિકરને ડિહાઈડ્રેશન (પાણીમાં ઘટાડો) થયો છે અને ડોક્ટર તેમની સારવાર કરી રહ્યા છે. ગુરુવારે સ્વાદુપિંડની તકલીફની સારવાર કરીને તેમને મુંબઈમાં આવેલી લીલાવતી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. ત્યારપછી તેઓ રાજ્યનું બજેટ રજૂ કરવા માટે પણજી પહોંચ્યા હતા.

પારિકરના કારણે બજેટ સેશન 29 દિવસ ઘટાડ્યું

પારિકર પાસે ગોવાનું સીએમ પદ હોવાની સાથે સાથે ફાઈનાન્સનો પણ પોર્ટફોલિયો છે.
તેમની ખરાબ તબિયતના કારણે રાજ્યનું 33 દિવસનું બજેટ સેશન ઘટાડીને 4 દિવસનું કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.