Abtak Media Google News

જાણીતા સી.જે. ગ્રુપના ચેરમેન ચિરાગભાઇ ધામેચા દ્વારા સંકલિત તેમજ ત્રીજા પુસ્તક ‘અભિનવ’નું વિમોચન કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આસ્થા મેગેઝીનના તંત્રી પ્રશાંતભાઇ દવે, ધામેચા પરીવારના બિપીનભાઇ ધામેચા, વિરાણી સ્કુલના જી.બી. હીરપરા, વિવેકભાઇ તન્ના તથા પિયુષભાઇ ભટ્ટી ઉપસ્થિતિ રહ્યા હતા. આ તકે રામકૃષ્ણ આશ્રમના અઘ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થયા હતા.

આ પુસ્તકની વિશેષતા એ છે કે તે આઘ્યાત્મિક, સામાજીક, ધાર્મિક, શૈક્ષણિક લેખો પ્રસંગ લેખ તથા કાવ્યોનો સમન્વય છે. નાના મોટા સૌ કોઇ વાંચી શકે તે પ્રકારનું આ અભિનવ પુસ્તક અભિનવ છે. આ પુસ્તક પ્રકાશિક કરવા બદલ ચિરાગભાઇ ધામેચા ઉપર અવાકાર મળી રહેલ છે તેમજ અભિનંદન પુષ્પની વર્ષા થઇ રહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.