Abtak Media Google News

વાવાઝોડાથી થયેલા નુકસાન અને સ્થિતિને પૂર્વવત કરવા અંગે ગહન ચર્ચા થશે

ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજનાર છે. જેમાં કૃષિ સહાય અંગેની જાહેરાત થનાર છે. આ બેઠકમાં વાવાઝોડાથી થયેલા નુકસાન અને સ્થિતિને પૂર્વવત કરવા અંગે ગહન ચર્ચા કરવામાં આવનાર છે.

તાઉતે વાવાઝોડાએ ગિરસોમનાથ, અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં વિનાશ વેર્યો છે. હજુ પણ આ ત્રણ જિલ્લાના અનેક વિસ્તારો અસરગ્રસ્ત છે. ત્યારે સરકાર દ્વારા આ વિસ્તારોમાં નુકસાનીનો સર્વે સહિતની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. વધુમાં આ વિસ્તારોમાં ખેતીને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. આ નુકસાન અંગે પણ સર્વેની કામગીરી ચાલી રહી છે. બહારના જિલ્લાઓમાં પણ નુક્સાનીનો સર્વે કરવા ટિમો બોલાવવામાં આવી છે.

આજ રોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાનાર છે. આ આ કેબિનેટ બેઠકમાં તાઉતે વાવાઝોડાએ વેરેલા વિનાશ અંગે મહત્વની ચર્ચાઓ થનાર છે. આ બેઠકમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ પૂર્વવત કરવા અંગે પણ મહત્વની ચર્ચા થનાર છે. આ ઉપરાંત બેઠકમાં ખેતીને થયેલા નુકસાન અંગે પણ નિર્ણય લઈને બાદમાં તેની જાહેરાત કરવામાં આવી શકે છે. આ બેઠક બાદ કૃષિ મંત્રી દ્વારા મહત્વની જાહેરાત થાય તેવા ઉજળા સંકેતો પણ મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે તાઉતે વાવાઝોડાને પગલે ઉનાળુ પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. આ નુક્સાનીમાં પ્રતિ હેકટર વધુ સહાય આપવા માટે ધારાસભ્ય અને સાંસદોએ મુખ્યમંત્રી તેમજ કૃષિમંત્રીને રજુઆત કરી છે. જેના પગલે આ કેબિનેટ બેઠકમાં સહાય અંગેનો મહત્વનો નિર્ણય લેવાય શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.