Abtak Media Google News

મેંદરડા તાલુકાના ગોધમપુર ખાતે ૫૦ લાખના ખર્ચે નિર્માણાધિન પટેલ સમાજની વાડીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાએ જણાવ્યું હતું કે, સમાજ માટે કામ કરતા લોકોને નડતરરૂપ ન થાવ તે પણ મોટી સમાજ સેવા છે.આ અંગે સુમહલગ્નના પ્રણેતા હરસુખભાઇ વઘાસીયાના જણાવ્યા અનુસાર મેંદરડા તાલુકાના ગોધમપુર ખાતે ૫૦ લાખના ખર્ચે નિર્માણાધિન પટેલ સમાજની વાડીના ખાતમુહૂર્ત પ્રસંગે પધારેલા મહેમાનોનું શણગારેલા બળદ ગાડા અને ટ્રેકટરમાં કાઠીયાવાડી પરંપરાથી સ્વાગત કરાયું હતું.

પોરબંદરના સાંસદ રમેશ ધડુક, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નિતીનભાઇ પેથાણી, દિનેશભાઇ કુંભાણી, જેન્તીભાઇ વઘાસીયા, જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઇ પટેલ વગેરેએ પ્રાસંગિક પ્રવચનો સાથે દાનની સરવાણી વહાવી હતી. આ તકે ૯૦ ગામના લોકોની ઉપસ્થિતી રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.