Abtak Media Google News
મહેન્દ્ર જોષીનું સાહિત્ય એવોર્ડથી સન્માન

રાષ્ટ્રીય શાયર અને જેમની કર્મભૂમિ બગસરા છે તેવા ઝવેરચંદ મેઘાણીજીની ૧૨૪મી જન્મજયંતી ની શાનદાર ઉજવણી બગસરા નગરપાલિકા તથા મેઘાણી હાઈસ્કુલ દ્વારા કરવામાં આવેલ. આ સાથે લોક સાહિત્ય ક્ષેત્રે જેમનું ખુબ જ પ્રદાન છે તેવા સાહિત્યકાર મહેન્દ્રભાઈ જોષીને સાહિત્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ અને મેઘાણી સ્મારક ખાતે મેઘાણીજીની પ્રતિમાને આગેવાનો દ્વારા સ્મરાંજલી અર્પણ કરાઈ હતી.

આ તકે એવોર્ડ પ્રાપ્ત કરનાર મહેન્દ્રભાઈ જોષીએ જણાવ્યું હતું કે, સાહિત્યની કદર કરનાર નગરપાલિકાને અને સાહિત્ય ક્ષેત્રે મને આગળ કરનાર મારા પરિવાર થકી આ એવોર્ડનો હકદાર બનેલું છું. મેઘાણીજીને નગરપાલિકાના પ્રમુખ રસીલાબેન પાથર, ઉપપ્રમુખ નિતેષ ડોડીયા, પૂર્વ પ્રમુખ રશ્ર્વિનભાઈ ડોડીયા, એ.વી.રીબડીયા, શિવજીભાઈ રૂખડા સહિતના આગેવાનોએ મેઘાણીજીને સ્મરાંજલી આપી યાદ કર્યા હતા.

આ કાર્યક્રમમાં શહેરના સાહિત્યકારો, પાલિકાના સદસ્યો, વિવિધ સંસ્થાના આગેવાનોએ મહેન્દ્રભાઈ જોષીને સન્માનિત કરેલ. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિતેષ ડોડીયાએ કરેલ જયારે આભારવિધી મેઘાણી હાઈસ્કુલના આચાર્ય રામસીંગ પરમારે કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.