Abtak Media Google News

મંદિર પરિષરમાં ઠાકોરજી ચાંદીના રથમાં પરિભ્રમણ કરશે

આજે અષાઢી બીજનો પવિત્ર દિન હોય યાત્રાધામ દ્વારકાના પ્રસિધ્ધ દ્વારકાધીશ જગતમંદિરમાં પરંપરાગત રીતે મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. મંદિર પરિસરમાં ઠાકોરજીને ચાંદીના રથમાંબિરાજમાન કરી જગતમંદિરને ચાર પરિક્રમા કરાવવામાં આવશે. આ સાથે ઠાકોરજીની ચાર મહા આરતી પણ કરવામાં આવશે. જગતમંદિરમાં વર્ષોથી આ રીતે ઠાકોરજીની ચાર પરિક્રમા તથા ચાર મહાઆરતી સાથે પરિક્રમા કરાવવામાં આવે છે.જેમાં દરવર્ષની જેમ હજારો ભકતો ઠાકોરજીની રથયાત્રામાં જોડાનાર હોવાનું જગતમંદિરના પૂજારી ડાયાલાલની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.