Abtak Media Google News

શ્રદ્ધાળુઓનો પ્લાસ્ટિકની બેગના બદલામાં ઈકો ફ્રેન્ડલી બેગનું વિતરણ: વહિવટી તંત્ર ખડેપગે

પ્રકૃતિના ખોળે વિહેરવાની સાથો સાથો પુણ્યનું ભાથું બાંધવાનો અવસર એટલે ગિરનાર લીલી પરિક્રમા…. આ પાવની પરિક્રમાનો આજ તા. 4-11-2022ના કારતક સુદ-11 (દેવ દિવાળી) ની  મધ્યરાત્રીએ રાત્રિના 12 કલાકે વિધિવત રીતે સાધુ સંતો- પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવશે. પરંતુ પરિક્રમાનો વિધિવત રીતે પ્રારંભ થાય તે પૂર્વે જ લગભગ બે લાખથી વધુ ભાવિકો એ 36 કલાક પૂર્વે જ પરિક્રમાનો પ્રારંભ કરી દિધો છે અને લગભગ 50 હજારથી વધુ પરિક્રમારથીઓ તો પરિક્રમા પૂર્ણ કરી પોતાના વતનની વાટ ભણી લીધી છે.ગત બે વર્ષ કોરોના મહામારીના કારણે ગિરનાર પરિક્રમા યોજી શકાય ન હતી,

1 20

ત્યારે આ વર્ષે મોટી સંખ્યમાં ઉમટી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં  આવી રહી હતી. અને થયું છે પણ એવું જ આ વખતે બે થી ત્રણ દિવસ અગાઉ ઉતાવળા લોકો પરિક્રમા વહેલી શરૂ કરી લેવા ભવનાથ ખાતે પહોંચી ગયા હતા, અને વન વિભાગ દ્વારા પરિક્રમા રૂટનો મુખ્ય દરવાજો ખૂલે તેની રાહ જોઈ બેસી ગયા હતા, બીજી બાજુ સતતને સતત વધી રહેલ પરિક્રમારથીઓની સંખ્યા અને માંગને કારણે તંત્રને ઢીલું પડવું પડયું હતું અને પરિક્રમાના 36 કલાક પૂર્વે પરિક્રમા પ્રવેશનો દરવાજો ખોલી નાખવો પડયો હતો, તે સાથે જ ગઈકાલે ગુરુવારની વહેલી સવારથી જય જય ગિરનારી ના નાદ સાથે  પરીક્રમારથીઓ એ પરિક્રમા શરૂ કરી દીધી હતી.

જો કે, દર વર્ષની જેમ વહીવટી, પોલીસ અને વન વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટર શ્રી રચિત રાજના માર્ગદર્શન હેઠળ પરિક્રમાના દિવસો પૂર્વે જ તમામ વ્યવસ્થા અને સુરક્ષા સહિતની બાબતોએ તૈયારીઓ કરી લીધી હતી, જેને લઇને પરીક્રમારથીઓને કોઈ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો નથી પરંતુ કે બાબત સાથે ધાર્મિકતા, આધ્યાત્મિકતા સંકળાયેલી છે તે ફરી એક વખત તૂટી છે.   ગિરનાર પરિક્રમા માટે લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. ત્યારે સેવાભાવી સંસ્થાઓ પણ  પરિક્રમાર્થીઓની સેવા માટે આગળ આવે છે.

1 17

ખાસ કરીને યાત્રિકોની ભોજન સેવા માટે હોંશે-હોંશે સેવાકીય સંસ્થાઓ આગળ આવે છે. અને સોરઠ-સૌરાષ્ટ્ર સંસ્કૃતિને ઉજાગર કરતી આ સેવાકીય  સંસ્થાઓ, દાતાઓ દ્વારા પૂરા ભાવ સાથે પરિક્રમાર્થીઓને કાઠિયાવાડી, ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ ભોજન કરાવે છે. તે સાથે ચા, પાણી, સરબતનું વિતરણ કરવામાં આવે છે અને પરિક્રમારથીઓના આરામ માટે ગાદલા, ગોદડા સહિતની ઉતારાની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. જે સેવાનો પણ પરિક્રમા માર્ગે 36 કલાક પૂર્વે પ્રારંભ થઈ ગયો છે. ગિરનાર પરિક્રમાં અભયારણ્ય વિસ્તારમાં યોજાઈ છે, ત્યારે પર્યાવરણ પ્રકૃતિને હાનિ ન પહોંચે તેની વિશેષ કાળજી લેવી જરૂરી છે. આ માટે ભવનાથમાં ગિરનાર પરિક્રમા પ્રવેશ દ્વાર નજીક એક સેવાકીય સંસ્થા દ્વારા યાત્રિકો પાસેથી પ્લાસ્ટિકની થેલી જમા લઈને પ્રકૃતિને હાનિ ન પહોંચાડે તેવી ઈકો ફ્રન્ટલી થેલી આપવામાં આવે છે. જેના થકી યાત્રાળુઓ ઈકો ફ્રેન્ડલી થેલીમાં પોતના જરૂરી સામાન લઈ શકે.

પરિક્રમા રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત

1 14

જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીના દિશાનિર્દેશ મુજબ સમગ્ર ગિરનાર પરિક્રમા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખાસ સમગ્ર પરિક્રમા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ અધિકારીઓને જવાબદારી સોંપી દેવામાં આવી છે. ગિરનાર પરિક્રમાને ધ્યાને રાખી પરિક્રમા દરમિયાન જૂનાગઢ શહેર સહિત ભવનાથ અને પરિક્રમા રૂટ ઉપર 2,238 જેટલા ડી.વાય.એસ.પી.; પી.આઈ; પી.એસ.આઈ: કોન્સ્ટેબલ, મહિલા પોલીસ, હોમ ગાર્ડ, એસ.આર.પી. સહિતનું પોલીસ બળ પણ તૈનાત કરી દેવામાં આવ્યું છે.

પરિક્રમાર્થીઓ માટે સરકારી દવાખાના કાર્યરત

1 8

ગિરનાર પરિક્રમાનો રૂટ 36 કિ.મી. જેટલા  લાંબો હોવાની સાથે કઠિન ચઢાણ વાળો છે, ત્યારે પરિકમાર્થીઓને આરોગ્ય સંબંધિત નાની મોટી તકલીફો થવાની સંભાવનાઓ રહેતી હોય છે. જેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગિરનાર પરિક્રમાના રૂટ ઉપર ઝીણાબાવાની મઢી, મારવેલા, બોરદેવી અને ભવનાથમાં સરકારી દવાખાના ઉભા કરવામાં આવ્યા છે. ગિરનાર પરિક્રમા દરમિયાન ઇમરજન્સી સેવા માટે એમ્બ્યુલન્સ સહિતની આરોગ્ય સુવિધાઓ પણ પરિક્રમાર્થીઓ માટે કાર્યરત ઉપલબ્ધ રાખવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.