Abtak Media Google News

કોંગ્રેસે દેશના 22 શહેરોમાં મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યા બાદ લોકોને દિલ્હીની રેલીમાં જોડાવા કર્યું આહવાન

કોંગ્રેસે 4 સપ્ટેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાનારી ’મોંઘવારી પર હલ્લા બોલ’ રેલી પહેલા સોમવારે દેશના 22 શહેરોમાં પ્રેસ કોન્ફરન્સ કરીને કેન્દ્રની મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા અને દેશભરના લોકોને વિનંતી કરી હતી કે 4 સપ્ટેમ્બરે દિલ્હી આવો.  કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા દાવો કર્યો હતો કે લોકો મોંઘવારી અને બેરોજગારીથી પરેશાન છે, પરંતુ સરકાર સંપૂર્ણપણે મૌન છે.

દેશના 22 શહેરોમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સની માહિતી આપતા પાર્ટીના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે આજે દેશભરમાં 22 સ્થળોએ પ્રેસ કોન્ફરન્સ કરીને અમારા નેતાઓ અને પ્રવક્તાએ 4 સપ્ટેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં સભા બોલાવી હતી. ’દિલ્હી ચલો’ માટે ’મોંઘવારી પર હલ્લા બોલ’ રેલી માટે.

રાજધાની દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા પાર્ટીના પ્રવક્તા ગૌરવ વલ્લભે દાવો કર્યો કે બેરોજગારી અને મોંઘવારી નરેન્દ્ર મોદી સરકારના બે ભાઈ છે.  ગૌરવ વલ્લભે કહ્યું કે, મોદી સરકારના બે ભાઈઓ બેરોજગારી અને મોંઘવારી છે.  લોકો ભારે મોંઘવારીથી ત્રસ્ત છે.  20 થી 24 વર્ષની વયજૂથના 42 ટકા લોકો બેરોજગાર છે, પરંતુ મોદી સરકાર મૌન છે.

ગૌરવ વલ્લભે જણાવ્યું હતું કે સેન્ટર ફોર મોનિટરિંગ ઑફ ઈન્ડિયન ઈકોનોમીના ડેટા મુજબ બેરોજગારીનો દર 8 ટકા છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર શહેરી વિસ્તારો કરતા વધારે છે.  પરંતુ મોદી સરકારને આ બધાની પરવા નથી.  મોદી સરકાર ’ભાગલા પાડો અને રાજ કરો’માં વ્યસ્ત છે અને ઇડી અને સીબીઆઈનો દુરુપયોગ કરી રહી છે.આ પ્રસંગે દિલ્હી પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ” હલ્લા બોલ રેલી”નું પોસ્ટર પણ બહાર પાડ્યું છે.

મોંઘવારી સામે લોકોમાં જાગૃતિ લાવવા અને મહા રેલીમાં ભાગ લેવા માટે કોંગ્રેસે  દેશભરમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું.  આ પહેલા 5 ઓગસ્ટે કોંગ્રેસે દિલ્હીમાં મોંઘવારી અને બેરોજગારી સામે મોટું પ્રદર્શન કર્યું હતું.  આ દરમિયાન કાળા કપડા પહેરીને પ્રદર્શનમાં સામેલ કોંગ્રેસના નેતાઓએ માત્ર સૂત્રોચ્ચાર જ કર્યા ન હતા પરંતુ વિવિધ બેનરો અને પોસ્ટરો પ્રદર્શિત કરીને મોદી સરકારનો વિરોધ પણ કર્યો હતો.

શશિ થરૂર કોંગ્રેસ પ્રમુખ બનવા મેદાનમાં ઉતરશે?

કોંગ્રેસમાં 17 ઓક્ટોબરે પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાવાની છે.  કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને તિરુવનંતપુરના સાંસદ શશિ થરૂર પ્રમુખ પદ માટે ચૂંટણી લડી શકે છે.  જોકે, તેણે હજુ અંતિમ નિર્ણય લીધો નથી.  પરંતુ ટૂંક સમયમાં તેઓ આ અંગે નિર્ણય લઈ શકે છે.  કોંગ્રેસમાં પ્રમુખ પદની ચૂંટણી પર થરૂરે એક લેખ પણ લખ્યો છે.  જેમાં તેમણે મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીની વાત કરી હતી.

શશિ થરૂર કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાનું વિચારી રહ્યા છે.  જોકે, આખરી નિર્ણય લેવાનો બાકી છે.  જ્યારે થરૂરને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો.  શશિ થરૂરે મલયાલમ દૈનિક ’માતૃભૂમિ’ માટે એક લેખ લખ્યો હતો.  જેમાં તેમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટેની ચૂંટણી મુક્ત અને નિષ્પક્ષ હોવી જોઈએ.

આ લેખમાં થરૂરે લખ્યું છે કે, તેમણે કહ્યું છે કે પાર્ટીએ આદર્શ રીતે સીડબ્લ્યુસી સભ્ય પદ માટે પણ ચૂંટણીની જાહેરાત કરવી જોઈતી હતી.  થરૂરે કહ્યું કે એઆઈસીસી અને પીસીસીના સભ્યોને પાર્ટીમાં આ મુખ્ય હોદ્દાઓનું નેતૃત્વ કોણ કરશે તે પસંદ કરવાની મંજૂરી આપવી જોઈએ.  થરૂર કોંગ્રેસના જી-23 નેતાઓમાંના એક છે, જે સતત પાર્ટીમાં સંગઠનાત્મક ફેરફારની માંગ કરી રહ્યા છે.  શશિ થરૂરે કહ્યું, ’નવા પ્રમુખની ચૂંટણી એ કોંગ્રેસના પુનરુત્થાનની શરૂઆત છે.  તેની પણ સખત જરૂરિયાત છે.  ચૂંટણીની અન્ય ફાયદાકારક અસરો પણ છે, એમ તેમણે જણાવ્યું હતું.  ખાસ કરીને, અમે બ્રિટનની ક્ધઝર્વેટિવ પાર્ટીમાં નેતાની ચૂંટણીમાં વિશ્વભરમાં રસ જોયો.  અમે 2019 માં તે જ જોયું, જ્યારે થેરેસા મેને બદલવા માટે એક ડઝન ઉમેદવારો મેદાનમાં હતા અને બોરિસ જોનસન પાર્ટીના નેતા બન્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.