Abtak MediaAbtak Media
  • Gujarat
    • Ahmedabad
    • Amreli
    • Anand
    • Aravalli
    • Banaskantha
    • Bharuch
    • Bhavnagar
    • Botad
    • Chhota Udaipur
    • Dahod
    • Dang
    • Devbhumi Dwarka
    • Gandhinagar
    • Gir Somnath
    • Jamnagar
    • Junagadh
    • kheda
    • Kutchh
    • Mahisagar
    • Mehsana
    • Morbi
    • Narmada
    • Navsari
    • Panchmahal
    • Patan
    • Porbandar
    • Rajkot
    • Sabarkantha
    • Surat
    • Surendranagar
    • Tapi
    • Vadodara
    • Valsad
What's Hot

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

Facebook YouTube Instagram Twitter
  • હોમ
  • ગુજરાત
  • દેશ-દુનિયા
  • રાજકરણ

    રાહુલ ગાંધી કુલી બન્યા અને ઉપાડ્યો બોજ, લોકોએ કહ્યું ફક્ત તે જ કરી શકે છે આ

    21/09/2023

    Whatsapp ઉપર મોદીનો રેકોર્ડ : ચેનલમાં એક જ દિવસમાં 1 મિલીયન સબ્સ્ક્રાઇબર્સ થયા

    21/09/2023

    WhatsApp Channel: PM મોદીએ WhatsApp ચેનલમાં પહેલી પોસ્ટ કઈ મૂકી???

    19/09/2023

    ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની મહત્વની જાહેરાત

    05/09/2023

    INDIA ની જગ્યાએ ભારત, G20 મહેમાનોને રાષ્ટ્રપતિના આમંત્રણને લઈને રાજકીય બોલચાલ

    05/09/2023
  • ક્રાઇમ
  • રમત જગત
Facebook YouTube Instagram Twitter
Abtak MediaAbtak Media
LIVE TV E-PAPER
TRENDING
  • ધાર્મિક
  • શિક્ષણ
  • એન્ટરટેનમેન્ટ
  • તહેવાર
  • લાઈફસ્ટાઇલ
  • ઓફબીટ
Abtak MediaAbtak Media
You are at:Home»Gujarat News»સસ્તા અનાજના દુકાનદારે ફિંગરપ્રિન્ટ લીધા પણ ત્રણ મહિનાથી માલ નથી આપતો : કૌભાંડની બદબુ
Gujarat News

સસ્તા અનાજના દુકાનદારે ફિંગરપ્રિન્ટ લીધા પણ ત્રણ મહિનાથી માલ નથી આપતો : કૌભાંડની બદબુ

By ABTAK MEDIA28/06/20234 Mins Read
Share Facebook Twitter WhatsApp
Share
Facebook Twitter WhatsApp

ગરીબોના હકમાં અન્નનો દાણો છીનવનાર સામે તંત્ર કાર્યવાહી કરશે ?

અંકુરપાર્કના પરવાનેદાર ગોપાલ અમૃતિયાએ છેલ્લા ત્રણેક મહિનાથી અડધો અડધ રાશનકાર્ડધારકોને અનાજનો જથ્થો જ નથી આપ્યો, અનાજ લેવા આવતા જરૂરિયાતમંદ લોકોને ફોસલાવી સમજાવીને દર વખતે પરત મોકલી દેવાય છે

શહેરના અંકુર પાર્કમાં સસ્તા અનાજના દુકાનદારે રાશન કાર્ડ ધારકો પાસેથી ફિંગરપ્રિન્ટ લઈને છેલ્લા ત્રણેક મહીનાથી માલ ન આપી કૌભાંડ આચર્યું હોવાની ફરીયાદો ઉઠી રહી છે. જો કે આ ફરિયાદો બાદ હવે તંત્ર જાગે છે કે કેમ તે જોવું રહ્યું!

પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના સ્વામિનારાયણ ચોક પાસે આવેલ અંકુર પાર્ક વિસ્તારમાં ગોપાલ અમૃતિયા નામનો સસ્તા અનાજનો પરવાનેદાર છે. જે અગાઉ પણ ગરીબોના અનાજમાં ગેરરીતિ આચરવામાં કુખ્યાત છે. આવા દુકાનદાર ઉપર સમયાંતરે ચેકીંગ ન કરવાના લીધે તેને ફરી ગેરરીતિ આચરવાનો મોકો આપવામાં આવી રહ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

આ દુકાનના રાશનકાર્ડ ધારકો આક્ષેપ કરી રહ્યા છે કે તેઓને છેલ્લા ત્રણેક મહિનાથી અનાજ જ મળ્યું નથી. જ્યારે આ દુકાને તેઓ જાય છે ત્યારે પ્રતાપ નામનો શખ્સ ડરાવી ધમકાવીને અનાજ અમને ગોડાઉનમાંથી મળ્યું જ નથી. તેવું જણાવે છે. જો કે આ શખ્સ રાશનકાર્ડ ધારકોના ફિંગરપ્રિન્ટ લઈ લ્યે છે પણ અનાજ ન આપતો હોવાની રાવ ઉઠી છે.

ALSO READ  રૈયાગામના નશો કરેલા યુવકને પોલીસ પકડે તે પહેલાં કર્યો આપઘાત

બીજી તરફ મળતી માહિતી મુજબ અમુક રાશન કાર્ડ ધારકોને એક મહિને ઘઉં આપવામાં આવે છે તો બીજા મહિને ચોખા આપવામાં આવે છે. આમ તમામ જથ્થો આપવામાં આવતો નથી. છેલ્લા ઘણા સમયથી આ દુકાનદાર રાશનકાર્ડ ધારકોને ફોસલાવી કે ધમકાવીને બે દિવસ પછી આવજો એવું કહીને પરત મોકલી દયે છે. જો કે આજે રાશનકાર્ડ ધારકોએ ત્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને હોબાળો મચાવ્યો હતો.

પુરવઠાના ગોડાઉન ઉપર પણ શંકાની સોય  અધિકારીઓની લોલમલોલ સામે તપાસ જરૂરી

ચોખાનો જથ્થો સડેલો, ગોડાઉનમાં પણ ગડબડની આશંકા

ગોપાલ અમૃતિયા નામના દુકાનદારને ત્યાં ચોખાનો જે જથ્થો હતો તે સડેલો હતો. રાશનકાર્ડધારકોએ એવું કહ્યું હતું કે કાયમી આ દુકાનમાંથી મોટાભાગનો જથ્થો સડેલા જેવો જ આપવામાં આવે છે. જો કે દુકાનદારે એવું કહ્યું કે ગોડાઉનમાંથી જ આવો જથ્થો આવે છે. એટલે પુરવઠાના ગોડાઉનમાં પણ લોલમલોલ ચાલતી હોય તેવું લાગી રહ્યું છે.

અગાઉ પણ આ જ વેપારીને ત્યાં ગોડાઉનમાંથી જ  ઘઉંનો સડેલો જથ્થો ઠાલવાયો ’તો

અગાઉ થોડા મહિના પૂર્વે આ દુકાનદારને ત્યાં પુરવઠા ગોડાઉનમાંથી જ સડેલો ઘઉંનો જથ્થો આપવામા આવ્યો હતો. ત્યારે એક અરજદાર તો આ સડેલા ઘઉ લઈને સીધા પુરવઠા અધિકારી પાસે રજુઆત કરવા દોડી આવ્યા હતા. તે સમયે પુરવઠા અધિકારી પણ આ ઘઉં જોઈને ચોકી ઉઠ્યા હતા અને તેઓએ કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ આપ્યો હતો. પણ તે સમયે જાણે ભીનું સંકેલાય ગયું હોય તેવો ઘાટ સર્જાયો હતો.

ALSO READ  મેહુલિયો આવશે! ચાર દિવસ દક્ષિણ ગુજરાત- સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી

ત્રણ- ચાર મહિનાથી જ્યારે અનાજ લેવા આવી ત્યારે કહે છે પુરૂ થઈ ગયું : કાર્ડ ધારક

કાર્ડ ધારકે જણાવ્યું કે છેલ્લાં 4-5 મહિનાથી માલ નથી મળ્યો. જયારે માલ લેવા આવી ત્યારે કહેવામાં આવે કે આવતા મહિને આવજો માલ પૂરો થયો ગયો. દર વખતે ધક્કા ખાવા પડે છે. આવતા મહિનાનો માલ લેવા માટે અગાઉ ફિંગર પ્રિન્ટ લેવામાં આવે  છે. ત્યાર બાદ જ્યારે માલ લેવા આવીએ તો માલ નથી તેમ કહી આવતા મહિને આવજો તેવું સંચાલક દ્વારા કહેવામાં આવે છે.

દુકાનદાર હલકી ગુણવતાવાળા ચોખા આપી દયે છે : કાર્ડ ધારક

કાર્ડ ધારકે જણાવ્યું કે દર મહિને 3-4 ધક્કા ખાવા પડે છે. એક મહિનાનો પૂરો માલ નથી આપતા. એક વખત ઘઉ આપે ત્યારબાદ આવતા મહિને ચોખા લેવા જવું પડે છે. 5 રૂ. ફિંગરના લઇ છે તેની પહોંચ પણ નથી આપતા. ચાલુ મહિનાનો માલ આવતા મહિને આપે છે. દર મહિને પૂરો માલ આપતા નથી. અગાઉના મહીને હલકી ગુણવત્તાના ચોખા આપ્યા હતા. જે ખાવાથી મારી તબિયત બગડી હતી. સાવ નિમ્ન કક્ષાનાં ચોખા આપવામાં આવે છે.

ALSO READ  ‘દિકરાનું ઘર’ વૃધ્ધાશ્રમ આયોજીત વ્હાલુડીના વિવાહમાં પચ્ચીસ દીકરીઓ પ્રભુતામાં પગલા માંડશે

દુકાનદાર અને તંત્રની એક-બીજા ઉપર ખો!!

મારે 450 કાર્ડ છે, માલ 300નો જ મળે છે : દુકાનદાર

દુકાનદાર ગોપાલ અમૃતિયાએ જણાવ્યું કે પૂરતો માલ ન મળવાના કારણે કાર્ડ ધારકોને માલ આપી શકાય તેમ નથી. આ બાબતે વહીવટી તંત્રને જાણ કરી છે. છતાં પણ ત્યાંથી કોઈ પ્રત્યુતર આપવામાં આવતો નથી.  મામલતદાર કચેરી અને નિગમમાંથી સચોટ જવાબ આપવામાં આવતો નથી. 450 કાર્ડ ધારક છે જેમાંથી  300 કાર્ડ ધારકોનો માલ આપવામાં આવે છે. જેનાં કારણે પૂરતો માલ આપી શકતા નથી.

પરમીટ મુજબ માલ તો 21 તારીખે મોકલી દેવાયો : નિગમ મામલતદાર

આ મામલે પુરવઠા નિગમના મામલતદાર ગોહિકનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે ગોપાલ અમૃતિયા નામના દુકાનદારને પરમીટ મુજબ 21 તારીખે જ માલ આપી દેવામાં આવ્યો છે. પણ તેઓએ કેટલો માલ આપવામાં આવ્યો તે અંગે કોઈ ખોલ ન પાડી. આ અંગે તેઓએ એવું કહ્યું કે કેટલો માલ ગયો તે પુરવઠા વિભાગને ખ્યાલ હશે.

Anaj featured Fingerprint gujarat SaurashtraNews Scam
Share. Facebook Twitter WhatsApp
Previous Articleકોલેજોની મનમાની: વિદ્યાર્થીઓને અસલ પ્રમાણપત્રો બે-બે વર્ષ સુધી અપાતા નથી?
Next Article ‘ધ રામાયણા’ 45 કિલો વજનનો મહાગ્રંથ પેઢીઓ સુધી સાચવી શકાશે
ABTAK MEDIA
  • Website

Related Posts

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

21/09/2023

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

21/09/2023

રેલનગર અન્ડરબ્રિજ સોમવારથી બે મહિના બંધ રહેશે

21/09/2023
Add A Comment

Comments are closed.

Top Posts

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

21/09/2023

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

21/09/2023

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

21/09/2023

રેલનગર અન્ડરબ્રિજ સોમવારથી બે મહિના બંધ રહેશે

21/09/2023

પોરબંદર: મોચા ગામેથી રૂ.9 લાખના ચરસ સાથે ચાર શખ્સો ઝડપાયા

21/09/2023
Stay In Touch
  • Facebook
  • YouTube
  • WhatsApp
  • Twitter
  • Instagram
Most Popular

રાજકોટના યુવાનધનને શું થયું, કેમ કોઇ કોરોના વેક્સીન લેવા જતું નથી..?

03/06/2021

ડબ્બે રઝડતું ગૌધન,…રાજકોટ મનપાના ડબ્બામાં જાણો કેટલી ગાયો ‘બંધ’ છે

19/06/2021

ઘરે બેઠા કરો આ કામ, મોદી સરકાર આપશે પગાર

08/11/2017
Our Picks

સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે ખંઢેરીમાં પાંચ દિવસીય મેચ

જુનાગઢના સંત સંમેલનમાં સંરક્ષણ સમિતિનું સુકાન મુક્તાનંદ બાપુને સોપાયું

ગ્રાન્ટેડ કોલેજોમાં ખાલી પડેલી અધ્યાપકોની જગ્યા ભરવા પ્રકિયા શરૂ

Advertisement
© 2023 Abtak Media. Designed by Black Hole Studio.
  • About us
  • Privacy Policy
  • Abtak Epaper
  • Live TV

Type above and press Enter to search. Press Esc to cancel.