Abtak Media Google News

ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર મુકામે વકફ બોર્ડની નવીનીકરણ પામેલી કચેરી તથા સીટીઝન ચાર્ટર અને સુરતના સેવાભાવી એકતા ટ્રસ્ટને એમ્બ્યુલન્સની ચાવી આપી લોકાર્પણ કર્યું હતુ.

આ તકે સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં મોટાભાગનાં ગામોમાંથી લોકોએ ઉપસ્થિત રહી મુખ્યમંત્રી ચેરમેન અને સભ્યોના કામોની સરાહના કરી હતી નોંધનીય છે કે દાઉદી વ્હોરા સમાજના આગેવાન શેખ રાજજાદભાઈ હીરાની રાજયના વકફ બોર્ડના ચરેમેન તરીકેની નિમણુંક બાદ વકફ બોર્ડ ભારે ગતિશીલ બનતા તેનો સીધો લાભ ગુજરાત રાજયના છેવાડાના માનવી સુધી પહોચશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.