Abtak Media Google News

સ્વામિનારાયણ સંપ્રદાયનાં કાર્યક્રમમાં હાજરી આપશે

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંપ્રદાયના છઠ્ઠા અને વર્તમાન આધ્યાત્મિક ગુરૂ પૂ.મહંત સ્વામી મહારાજ (સ્વામી કેશવજીવનદાસજી મહારાજ) આજી તા.૩ જૂન સુધી રાજકોટ પધાર્યા હોય આગામી તા.૨૭મીના રોજ રેસકોર્સ ખાતે માનવ ઉત્કર્ષ મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હાજરી રહેનાર હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

પ્રાપ્ત વિગતો મુજબ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના વર્તમાન આધ્યાત્મિક ગુરુ પૂ.મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિમાં આગામી તા.૨૭ને રવિવારના રોજ સાંજે ૭ થી ૧૦ દરમિયાન રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે માનવ ઉત્કર્ષ મહોત્સવનું આયોજન કરાયું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્તિ રહેનાર હોવાનું જાણવા મળ્યું છે. વધુમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિને લઈ અત્યારી જ જિલ્લા કલેકટર તંત્ર હરકતમાં આવ્યું છે અને મુખ્યમંત્રીના આગમનની તૈયારીનો ધમધમાટ શરૂ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.