Abtak Media Google News

‘‘પૂજ્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પૂજ્ય તરૂણસાગર મહારાજ સાહેબના અવસાન અંગે શ્રધ્ધાંજલી પાઠવી છે તરૂણસાગર મહારાજ સાહેબ જૈન સમાજના પ્રભાવી સંત હતા અને તેમણે ક્રાંતિકારી વિચારો-તપશ્ચર્યાથી સમાજનું માર્ગદર્શન કર્યુ છે તે સદાય ચિરંજીવ રહેશે’’ એમ મુખ્યમંત્રીશ્રીએ શ્રધ્ધાંજલી પાઠવતા ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર ગુજરાતની જનતા-જનાર્દન વતી તરૂણસાગર મહારાજ સાહેબને ભાવાંજલી આપતાં કહ્યું કે, પોતાના કડવા પ્રવચનોથી સમાજને કડવી દવા પાઇને તંદુરસ્ત સદમાર્ગી બનાવવાની તેમની ખ્યાતિ હતી.

પૂજ્ય તરૂણસાગર મહારાજ સાહેબના વિચારો, પ્રવચનો નવી પેઢીને સારૂં જીવન જીવવાના રાહ પર માર્ગદર્શક બનશે, એમ શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.