Abtak Media Google News

મુખ્યમંત્રીશ્રી કાલે રાજકોટમાં રાજકોટ મહાપાલિકાના સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે જેમાં ૨૮૭ અસરગ્રસ્ત લાભાર્થીઓને જમીન સનદ વિતરણ કરશે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી આવતીકાલ ગુરૂવારે ૩૦ ઓગસ્ટે સવારે ૧૦ કલાકે રાજકોટ મહાનગરપાલિકાના સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. નાગરિકોના વિવિધ પ્રશ્નોનું સ્થળ પર નિવારણ કરશે તથા સરકારી સેવાઓના લાભ ઘર આંગણે બેઠાં પહોચાડવાના આ જનહિતલક્ષી સેવા સેતુનો ચોથો તબક્કો ર૪ ઓગસ્ટથી રાજયમાં શરૂ થયો છે.

શ્રી વિજયભાઇ રૂપાણી રાજકોટમાં અમરજીતનગરના ર૮૭ અસરગ્રસ્ત લાભાર્થીઓને જમીન સનદ વિતરણ કરશે. આ લાભાર્થીઓને રાજકોટ મહાપાલિકા દ્વારા રપ ચો.વાર તેમજ ૪૦ ચો.વારના જમીન પ્લોટ વૈકલ્પિક વળતર રૂપે ફાળવવામાં આવેલા છે.

તેઓ આ વેળાએ રાજકોટ મહાપાલિકાની વહીવટી પાંખમાં નવી નિમણુંક પામનારા પપ ઉમેદવારોને નિયુકિત પત્રો અર્પણ કરશે. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી રાજકોટની આજી GIDCમાં રૂ. ૭ કરોડ ૭૦ લાખના વિવિધ વિકાસકામો રોડ રિસરફેસીંગ, પેવર બ્લોક, સી.સી.ટી.વી. કેમેરા નેટવર્ક વગેરેના ખાતમૂર્હત કરશે.

શ્રી વિજયભાઇ રૂપાણી રાજકોટમાં સાંજે શ્રી સમસ્ત બ્રહ્મસમાજ આયોજીત શ્રાવણી પર્વ સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.