Abtak Media Google News

રાજયના મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઇ રૂપાણીના પ્રમુખસને શનિવાર ૨૧ જુલાઇએ સાંજે ૬.૦૦ થી ૮.૦૦ દરમ્યાન રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે પુસ્તક લોકાર્પણ સમારંભ યોજાશે.

Advertisement

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી હેમુ ગઢવી હોલ ખાતે પ્રકાશને પે નામ પુસ્તકનું લોકાર્પણ કરશે. અરવિંદભાઇ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટની પ્રવૃત્તિઓનો ચિતાર રજૂ કરતા આ પુસ્તકનું સંપાદન જાણીતા પત્રકાર  રાજુલ દવે તથા નિર્માણ પ્રવીણ પ્રકાશન દ્વારા કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર કાર્યવાહ ભૈયાજી જોષી ઉપસ્થિતિને સંબોધન કરશે. પૂર્વ સાંસદ ડો. વલ્લભભાઇ કીરિયા અરવિંદભાઇ મણિયાર ટ્રસ્ટની પ્રવૃત્તિઓની માહિતી આપશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષીય પ્રવચન  ઉપરાંત, દિપપ્રાગટય, સ્વાગત પ્રવચન, મહાનુભાવોના ઉદબોધનો, સ્મૃતિચિહ્ન વિતરણ વગેરે કાર્યક્રમો પણ યોજાશે. આ પ્રસંગે જયોતીન્દ્ર મહેતા, અપૂર્વ મણિયાર, કલ્પક મણિયાર તા મણિયાર પરિવારના અન્ય સભ્યો ઉપસ્તિ રહેશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.