Abtak Media Google News

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં બે જાહેરસભાને સંબોધન કરશે.વિજયભાઈ રૂપાણી આજે સાંજે નવી દિલ્હી પહોચીને ૬ વાગ્યે ગુડીયાવાલ મંદિર, રઘુવીબીરનગર પશ્ચિમ દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના લોકસભા ચૂનાવના ઉમેદવાર પ્રવેશ વર્મા માટે જાહેરસભા સંબોધવાના છે.

Advertisement

મુખ્યમંત્રી રાત્રે ૮ વાગ્યે પૂર્વ દિલ્હીમાં અક્ષરધામ મંદિર પાસે ગુજરાત વિહારમાં જનસભા સંબોધન કરીને લોકસભા બેઠકના પ્રત્યાશી ગૌતમ ગંભીરના સમર્થનમાં પ્રચાર અભિયાનમાં જોડાશે.નવીદિલ્હીની આ બેઠકો માટે લોકસભા ચૂંટણીના ૬ઠ્ઠા તબકકામાં આગામી તા.૧૨મીમે એ મતદાન થવાનું છે.મુખ્યમંત્રી આજે નવી દિલ્હીમાં બે પ્રચાર સભાઓ સંબોધન કરીને રાત્રે ગાંધીનગર પરત આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.