Abtak Media Google News

કાલે ૧૦:૩૦ વાગ્યે મુંબઈનાં ઘાટકોપરમાં રોડ-શો: ૨૮મીએ મધ્યપ્રદેશનાં સાગરમાં પ્રચાર-પ્રસાર તેમજ રવિન્દ્રભવનમાં પ્રબુઘ્ધ નાગરિકો સાથે સંવાદ કરશે

લોકસભા ચુંટણીનાં ત્રણ તબકકા પૂર્ણ થયા બાદ હજુ આગામી તબકકાઓ માટે દેશવાસીઓ વધુને વધુ મતદાન કરે તે માટે રાજકીય નેતાઓ, ઉમેદવારો પુરજોશથી ચુંટણીનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે ત્યારે ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આવતીકાલે મુંબઈનાં ઘાટકોપરમાં અને ત્યારબાદ મધ્યપ્રદેશમાં રોડ-શો અને જાહેરસભા ગજવશે.

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે મુંબઈનાં ઘાટકોપરમાં લોકસભાનાં ઉમેદવારનાં સમર્થનમાં ભવ્ય રોડ-શો તેમજ સભા સંબોધશે. આ ઉપરાંત ૨૮મીએ રવિવારે સવારે ૧૦ વાગ્યે મધ્યપ્રદેશનાં સાગરમાં ભાજપનાં ઉમેદવાર રાજબહાદુરસિંહ પણ પ્રચાર કરશે. આ ઉપરાંત એમ.પી.નાં રવિન્દ્ર ભવનમાં પ્રબુઘ્ધ નાગરિકો સાથે સંવાદ સાધશે.

મુંબઇ મહાનગરના ઘાટકોપર ઇસ્ટ વિધાનસભા મતક્ષેત્રમાં રોડ-શો યોજશે. મુખ્યમંત્રી મુંબઇ ઉત્તરપૂર્વ લોકસભા બેઠક માટેના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની મનોજ કોટકના સમર્થનમાં રોડ-શો કરવાના છે તથા ત્યારબાદ ભાનૂશાળી વાડી, તિલકરોડ, ઘાટકોપરમાં જનસભાને સંબોધન કરશે.

વિજયભાઇ રૂપાણી રાત્રે ગાંધીનગર પરત આવશે. ગુજરાતના મુખ્યમંત્રી રવિવાર તા.ર૮ એપ્રિલે મધ્યપ્રદેશ જશે અને સાગર લોકસભા સંસદીય ક્ષેત્રના પ્રત્યાશી  રાજબહાદૂરસિંહજીના સમર્થનમાં પ્રચાર અભિયાનમાં જોડાશે. વિજયભાઇ રૂપાણી રવિવારે સવારે ૧૦-૦૦ કલાકે રવિન્દ્રભવન સાગર (મધ્યપ્રદેશ)માં યોજાનારા પ્રબુધ્ધ વર્ગ સંમેલનમાં સંબોધન કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.