Abtak Media Google News

કોર્પોરેશન તથા રૂડાના વિવિધ પ્રોજેકટનું લોકાર્પણ-ખાતમુહૂર્ત: વીવીપીના બે ઓડિટોરિયમનું લોકાર્પણ કરશે: પુજીત રૂપાણી ટ્રસ્ટના કાર્યક્રમમાં હાજરી આપશે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કાલે ૨૦ જુલાઈના રોજ સવારે ૧૦:૧૫ કલાકે રાજકોટ એરપોર્ટ ખાતે આવી પહોંચશે ૧૦:૩૦કલાકે પેરેડાઇઝ હોલની સામે, સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિકાસના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં  ઉપસ્થિત રહેશે. ત્યારબાદ ૧૧:૪૫ કલાકે ભારતનગર ખાતે મહાનગરપાલિકા  આયોજિત વિવિધ કામોના લોકાર્પણ તેમજ ખાતમુર્હુત કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે ૧:૦૦કલાકે વી.વી.પી. એન્જિનિયરિંગ કોલેજ આયોજિત ખાતે ઓડિટોરિયમના ઉદઘાટન કાર્યક્રમમાં હાજરી આપશે. સાંજે ૫ કલાકે શ્રી પુજીત રૂપાણી ટ્રસ્ટ આયોજિત કાર્યક્રમમાં અટલબિહારી બાજપાઈ ઓડિટોરિયમ ખાતે ઉપસ્થિત રહેશે. ત્યાર બાદસાંજે ૭:૦૦ કલાકે હેમુ ગઢવી હોલમાં અરવિંદભાઈ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ ફાઉન્ડેશન આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ ૦૭:૩૦ વાગ્યે અક્ષર મંદિરના સભાખંડમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ડિરેક્ટરીના વિમોચન અને અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહેશે.કાર્યક્રમ પૂર્ણ થયે અનુકૂળતાએ મુખ્યમંત્રી રાજકોટ એરપોર્ટથી અમદાવાદ જવા રવાના થશે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.