Abtak Media Google News

ભગવાન મહાવીરે ચીંધેલા રાહ પર પ્રવૃત્ત થવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનું આહવાન

Dsc 0137 1Dsc 0193રાજકોટના જૈનોએ લોકોપયોગી કાર્યથી રાજકોટને ઉજળું કર્યું છે – મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

Dsc 0131કરૂણા અભિયાનથી રાજયના પશુ-પંખીઓના મૃત્યુમાં નોંધપાત્ર ઘટાડો થયાનો મુખ્યમંત્રીશ્રી રૂપાણીનો એકરાર

Dsc 0124 1 E1522260565334રાજકોટ ખાતે યોજાયેલા મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવમાં મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિ

Dsc 0196 1મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મહાવીર જયંતીની પૂર્વ સંધ્યાએ શ્રી મહાવીરે ચીંધેલા રાહ પર પ્રવૃત્ત થવા રાજયના નાગરિકોને આહવાન પાઠવ્યું હતું. રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શ્રી રૂપાણીએ આયોજકોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, લોકોપયોગી કાર્યોથી રાજકોટના જૈનોએ નગરને ઉજળું કર્યું છે. આ બદલ તેમણે સમગ્ર જૈન સમાજ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. રાજયભરમાં ચલાવાઇ રહેલા કરૂણા અભિયાનથી પશુ-પંખીઓના મૃત્યુમાં નોંધપાત્ર ઘટાડો થયાનો મુખ્યમંત્રીશ્રીએ એકરાર કર્યો હતો. સાંપ્રત સમયમાં જૈન ધર્મનું મહત્વ સમયોચિત હોવાનું પણ શ્રી રૂપાણીએ જણાવ્યું હતું. અને જૈન ધર્મના સિધ્ધાંતો મુજબનું જીવન મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઉપસ્થિતઓને અનુરોધ કર્યો હતો.

Dsc 0199આયોજકોએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનું ફળોની ટોપલી, ફૂલોના વિશાળ હાર અને સ્મૃતિચિહ્નથી સન્માન કર્યું હતું. શ્રી મનહર ઉધાસના નવા આલ્બમનું મુખ્યમંત્રીશ્રીએ વિમોચન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીનું જૈન ધર્મના સંદેશાઓ રજૂ કરતા બેનરો અને ધજાઓ વડે ભાવભીનું સ્વાગત કરાયું હતું. એપ્રીલ માસમાં દીક્ષા લેનાર મુમુક્ષુ શ્રી સૌરવકુમાર નીલેશભાઇ શાહને પણ મુખ્યમંત્રીશ્રીએ દીક્ષાર્થી જીવનની શુભકામના પાઠવી હતી.મુખ્યમંત્રીના આગમન પહેલાં પ્રખ્યાત પાર્શ્વગાયકશ્રી મનહર ઉધાસ, જાણીતા કલાકારો ગાર્ગી વોરા, દિપક જોષી, મીરાંદે શાહ, ભાસ્કર શુકલ વગેરેએ ભક્તિસંધ્યાના માધ્યમથી શ્રોતાઓને રસતરબોળ કરી મુકયા હતા. કાર્યક્રમનું સંચાલનશ્રી અંકિત ત્રિવેદી તથા નીલેશ શીશાંગીયાએ કર્યું હતું.

જૈન વિઝન દ્વારા આયોજિત સ્તવનપર્વ કાર્યક્રમના પ્રારંભે શ્રી મિલનભાઇ કોઠારીએ સ્વાગત પ્રવચન કર્યું હતું.

Dsc 0146 1આ કાર્યક્રમમાં ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધ્યક્ષશ્રી ધનસુખભાઇ ભંડેરી, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ ઉપાધ્યક્ષશ્રી રાજુભાઇ ધૃવ, શહેર ભા.જ.પ. અધ્યક્ષશ્રી કમલેશભાઇ મિરાણી, મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, કલેકટર ડો. વિક્રાંત પાંડે, શહેર પોલિસ કમિશ્નરશ્રી અનુપમસિંહ ગહલૌત, ભા.જ.પ. મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતિ અંજલિબેન રૂપાણી, અગ્રણીશ્રી નીતિનભાઇ ભારદ્વાજ, જૈન સમાજના શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ, તથા મોટી સંખ્યામાં સુજ્ઞ શહેરીજનો ઉપસ્થિત રહયા હતા.

Dsc 0145

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.