Abtak Media Google News

ખ્રિસ્તી તહેવાર ’પેન્ટેકોસ્ટ સન્ડે’ના અવસર પર એકઠી થયેલી મેદની પર અજાણ્યા ગનમેનનો હુમલો

નાઈજીરિયાના એક ચર્ચમાં હુમલાની ઘટના સામે આવી છે.  આ ઘટનામાં ઓછામાં ઓછા 50 લોકોના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ કેટલાક સશસ્ત્ર હુમલાખોરોએ ચર્ચમાં ઘૂસીને પ્રાર્થનામાં હાજર લોકો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. ફાયરિંગ દરમિયાન ચર્ચમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા.  જ્યારે બંદૂકધારીઓના અંધાધૂંધ ગોળીબારને કારણે અનેક લોકોના મોત થયા હતા. એક જનપ્રતિનિધિએ જણાવ્યું કે આ ઘટના રવિવારે દક્ષિણ પશ્ચિમ નાઈજીરિયામાં એક કેથોલિક ચર્ચમાં બની હતી.

તેમણે કહ્યું, ચર્ચામાં મોટી સંખ્યામાં લોકો પ્રાર્થના માટે એકઠા થયા હતા. આ દરમિયાન સશસ્ત્ર હુમલાખોરોએ લોકો પર હુમલો કર્યો. આટલું જ નહીં ચર્ચમાં વિસ્ફોટ પણ કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.  જેના કારણે લગભગ 50 લોકોના મોતની આશંકા છે.   હુમલાખોરોએ ઓન્ડો રાજ્યમાં સેન્ટ ફ્રાન્સિસ કેથોલિક ચર્ચને નિશાન બનાવ્યું હતું. આ હુમલો ત્યારે કરવામાં આવ્યો જ્યારે ત્યાં હાજર લોકો ખ્રિસ્તી તહેવાર ’પેન્ટેકોસ્ટ સન્ડે’ના અવસર પર એકઠા થયા હતા.જ્યારે ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.જો કે અધિકારીઓએ હજુ સુધી મૃત્યુઆંક અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે 50 થી વધુ લોકોના મોત થયા છે.  તે જ સમયે, નાઇજિરિયન સંસદના નીચલા ગૃહના સભ્ય, ટિમિલીને જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 50 લોકો માર્યા ગયા છે. જોકે અન્ય લોકોએ જણાવ્યું છે કે મૃત્યુઆંક વધુ હોઈ શકે છે. નોંધપાત્ર રીતે, નાઇજીરિયાનો મોટો હિસ્સો ઇસ્લામિક ઉગ્રવાદનો સામનો કરી રહ્યો છે, જ્યારે ઓન્ડોને નાઇજિરિયામાં સૌથી શાંતિપૂર્ણ રાજ્ય માનવામાં આવે છે.

તે જ સમયે નાઇજીરીયાના સુરક્ષા દળોએ હજુ સુધી આ ઘટના અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ હુમલો કેવી રીતે થયો અથવા હજુ હુમલાખોરો વિશે કોઈ સુરાગ છે કે કેમ? નાઇજીરીયાના કેથોલિક ચર્ચના પ્રવક્તા રેવ ઓગસ્ટિન ઇક્વુએ જણાવ્યું હતું કે પ્રમુખ પાદરી બચી ગયા હતા. ઇક્વુએ કહ્યું, ’આ ખૂબ જ દુ:ખદ ઘટના છે.  સેન્ટ ફ્રાન્સિસ કેથોલિક ચર્ચ પર અજાણ્યા બંદૂકધારીઓએ હુમલો કર્યો છે.  આ ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.