Abtak Media Google News

કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા, ધારાસભ્ય લલીત વસોયા અને હાર્દિક પટેલે આપી શ્રધ્ધાંજલી

 

કચ્છ ખાતે ફરવા ગયેલા જેતપુર ના મોટાં ગુંદાળા ના ૯ – ૯ યુવાનો ના ગોઝારા અકસ્માત માં કરુણ મોત નિપજ્યાં હતાં તમામ યુવાનો ની અંતિમયાત્રા એકી સાથે યોજાઇ હતી. આ તમામ યુવકો નું મોટાં ગુંદાળા ખાતે સામુહિક બેસણું યોજાયેલ હતું

આ બેસણામાં રાજ્યના કેબીનેટ મંત્રી જયેશ રાદડીયા,ધોરાજી કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા અને પાસના હાર્દિક પટેલ તેમજ તેમની પાસની ટીમના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતાં.પાસ કન્વિનર એવાં  હાર્દિક પટેલે અકસ્માતમાં મૃત્યું પામેલ યુવકોને શ્રધ્ધાંજલી આપી હતી.સામુહિક બેસણા માં ખોડલધામ ના અગ્રણી ઓ આજુબાજુ ના સરપંચો હોદેદારો ધારાસભ્યો તથા તમામ લોકો મોટી સંખ્યામાં હાજર રહયાં હતાં. સ્વજનોના આક્રંદથી વાતાવરણ માં ભારે શોક ની લાગણી છવાઈ ગઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.