Abtak Media Google News

હરીધામ સોખડાના સ્થાપક હરિપ્રસાદ દાસજીના અવસાન બાદ વહિવટમાં નાણાકિય ગડબડના આક્ષેપો

હરિધામ  સોખડાની સ્વામીનારાયણ સંપ્રદાય અને  અને સર્વોદય કેળવણી મંડળ વચ્ચે  લાંબા સમયથી ચાલતા વર્ચસ્વની લડાઈ ચરમ સીમાએ પહોચી છે. હરીપ્રસાદ સ્વામી ધામમાં પહોચ્યા બાદ હિસાબી  ગોટાળાની ગેરરીતિ કર્યાના આક્ષેપો સાથે સમગ્ર પ્રકરણ પોલીસમાં પહોચ્યું છે. રૂ.33 કરોડની ઉચાપત અંગે સર્વોદય કેળવણી મંડળ ટ્રસ્ટના  સેક્રેટરી   અને વહીવટ કરતા સહિત ચાર સામે તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો છે.

વિદ્યાનગરમાં રહેલા પવિત્ર  હર્ષદ રાય  જાનીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં હરીપ્રસાદ સ્વામીના તાબા હેઠળ સંન્યાસ લીધો હોય તેના પર્સનલ આસીસ્ટન્ટ તરીકે 28 વર્ષથી હતા. રાજકોટના કાલાવડ રોડ પર આવેલી  કે જે સર્વોદય કેળવણી મંડળ નામના ટ્રસ્ટ દ્વારા ચાલતી સંસ્થા છે. તે ટ્રસ્ટના મૂળભુત ટ્રસ્ટીઓ પાસેથી 1986માં હરીપ્રસાદ દાસજીએ શૈક્ષણિક હેતુ માટે લીધી હતી. તે સોખડા હોવાના કારણે આ ટ્રસ્ટની જવાબદારી સોંપાઈ હતી.હરીપ્રસાદ સ્વામીના સેવકો તથા શ્રદ્ધાળુઓ દાન કરતા હોય તે ધર્માદાની રકમથી આ સંસ્થા જુદી-જુદી શૈક્ષણિક કોલેજનું સ્થાપન કરાયું હતું. આ સંસ્થા દ્વારા થતી સર્વોદય કેળવણી ટ્રસ્ટમાં જમા કરાવી અને ટ્રસ્ટના મુળભૂત હેતુ માટે ઉપયોગમાં લેવાતી હતી.

1986થી ટ્રસ્ટના પી.ટી.આર. પર પ્રેસીડેન્ટ તરીકે હરીપ્રસાદ સ્વામીનું નામ આજદિન સુધી ચાલતું હતું. પરંતું રેકર્ડ પર સેક્રેટરી હોવાના નાતે ટ્રસ્ટ અને તે સંચાલીત  શૈક્ષણિક સંસ્થાનો તમામ વહીવટ કરતા હતા.2021માં હરીપ્રસાદ સ્વામીજીનું અવસાન થયા બાદ તેના તાબા હેઠળના તમામ ટ્રસ્ટો સંબંધે સાધુ  ગેરરીતિઓ આચરી હોવાનું ધ્યાને આવ્યું હતું. આથી તેણે અન્ય ધર્મદીપભાઈ સાથે જુદા જુદા ટ્રસ્ટોની શોધખોળ શરૂ કરી હતી.

આ શોધખોળમાં ઓડીટ રીપોર્ટ અને બેંક સ્ટેટમેન્ટ અને અન્ય કાગળોના આધારે તેને જાણવા મળ્યું હતું કે આ ટ્રસ્ટના સેક્રેટરી અનેટ્રસ્ટી ધર્મેશ જીવાણી, તેના પત્ની વૈશાખીબેન અને નિલેશ મકવાણાએ મેળાપણું કરી ટ્રસ્ટના આશરે 33 કરોડ રૂપિયાની ઉચાપત કરી છે.આ ટ્રસ્ટના ટ્રસ્ટના સેક્રેટરી અને મળતીયાઓએ 2004થી એક આત્મીય ટેક ઉત્કર્ષ નામનું ભુતીયું ખાતું બેકમાં ખોલાવી ટ્રસ્ટ સંચાલીત અનેક સંસ્થાઓમાંથી કટકે કટકે રૂા.3 કરોડ 36 લાખ ખાતામાં જમા કરાવ્યા હતા.

ત્યારબાદ આ ભુતીયા ખાતામાંથી એક ઈન્ફીનીટી વર્ક્સ ઓમ્ની ચેનલ પ્રા.લી.માં ડમી એગ્રીમેન્ટના આધારે 3 કરોડ 36 લાખ જમા કરાવી દીધા હતા. બાદમાં આ ખાનગી કંપનીના ડિરેક્ટરોમાં ધર્મેશ, તેની પત્ની વૈશાખી અને નિલેશ મકવાણાના નામો હતો. કંપનીના ખાતામાંથી રકમ ટ્રસ્ટના સેક્રેટરીના મેળાપણાથી ઉપાડી લઈ ઉચાપત કરી હતી. આ ખાનગી કંપની અને ટ્રસ્ટની વચ્ચે ડમી આઈ.ટી. સર્વિસ રીલેટેડ એગ્રીમેન્ટ જનરેટ કરી તેના આધારે આત્મીય ઉત્કર્ષમાંથી 3 કરોડ 36 લાખ આ ડમી કંપનીમાં ટ્રાન્સફર કરી ઉચાપત કરી હતી.

આ પૈસાની ઉચાપત માટે જે સર્વિસ પ્રા.લિ. કંપનીએ આજ સુધી કોઈ દિવસ આપી જ નથી એવી સર્વિસના નામનો ડમી એગ્રીમેન્ટ ઉભો કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરી ઈન્કમ ટેક્ષ, ચેરીટી કમિશન અને ટ્રસ્ટના સભ્યો અને બેનીફીસીયરી સાથે છેતરપિંડી કરી હતી. તેમજ 2014થી આજ સુધી સર્વોદય કેળવણી ટ્રસ્ટ સંચાલીત જુદી જુદી સંસ્થાઓમાં ભુતીયા કર્મચારીઓ ઉભા કરી તેના નામ કર્મચારી તરીકે બતાવી જુદા જુદા બેંક ખાતાઓ ખોલી તે રકમ રોકડેથી ઉપાડી લીધા બાદ ટ્રસ્ટના સેક્રેટરી, ધર્મેશ જીવવી અને સમીર વૈદ્યએ અંગત ઉપયોગમાં લઈ તે રીયલ એસ્ટેટમાં ઈન્વેસ્ટ કરી લીધા હતા.

સમયે ટ્રસ્ટમાંથી અને ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓમાંથી મોટાપાયે રોકડ બેંક ખાતામાંથી તેના અંગત ઉપયોગ માટે લઈ લીધી હતી. તેમજ આ રકમને ઉચાપત કરવાના ઈરાદે કોઈપણ કર્મચારીને ચુકવાયેલ ન હોવા છતાં આ રકમને સેલેરી એકાઉન્ટ ખાતે ઉધારી, ભુતીયા કર્મીઓના નામે ગેરકાયદે રોકડ વ્યવહારથી 30 કરોડ અંગત લાભ માટે લઈ લીધા હતા.2016-17માં અમુક ખાતા સંબંધે ઈન્કમ ટેક્ષ શાખાનું ધ્યાન પડવાથી અમુક ખાતાઓ જાહેર કરાયા હતા. પરંતુ આ તમામ ખાતાઓ ડમી ખાતાઓ તરીકે 2014થી આજસુધી પૈસાની ઉચાપત માટે ઉપયોગમાં લેવાતા હતા. ડમી ખાતાઓને સાચા ખાતાઓ બતાવી ટ્રસ્ટના વ્હાઈટ પૈસા બ્લેકમાં ક્ધવર્ટ કરી અંગત હેતુ માટે ઉપયોગમાં લઈ ઉચાપત કર્યોનુૂં ફરિયાદમાં જણાવ્યું છે.

મેટર સબ જ્યુડિસર છે: ત્યાગ વલ્લભ સ્વામી

ઈનકમ ટેક્ષએ સ્ક્રુટીની, ચેરિટી દ્વારા રેગ્યુલર ઓડિટ થયું છે

હરિધામ સોખડાના સ્થાપક શ્રી હરિપ્રસાદ સ્વામી ધામમાં પધાર્યા બાદ લેભાગુ તત્વો સંસ્થાને બદનામ કરવાના હેતુથી ફરિયાદ કરવામાં આવી છે. સર્વોદય કેળવણી સમાજના ટ્રસ્ટનું ઈન્કમટેકસ સ્ક્રુટીની રેગ્યુલર થાય છે. તેમજ ચેરિટી દ્વારા રેગ્યુલર ઓડિટ થાય છે. હાલમાં મેટર સબ જ્યુડીસર છે. જ્યાં સુધી કેસ ચાલે કે નિકાલ ન થાય પરંતુ સંસ્થાને બદનામ કરવાના મલિન ઇરાદે ફરિયાદ કરી સંસ્થાને બદનામ કરવામાં આવ્યું છે. પરંતુ હમેશ સત્ય બહાર આવશે તેમ રાજકોટ આત્મીય યુનિવર્સિટીના ત્યાગ વલ્લભ સ્વામી દ્વારા અબતક મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.