Abtak Media Google News

કોર્પોરેશન નિર્મિત ‘રામ વન’ઇલેક્ટ્રિક બસ ચાર્જીંગ સ્ટેશન, 23 ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ તથા ખાતમુર્હુત કરતા મુખ્યમંત્રી

અબતક, રાજકોટ

આ પ્રસંગે કર્ણાટકના  પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી, રાજકોટના પ્રભારી મંત્રી તથા રાજ્યના  શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણી, કૃષિ મંત્રી  રાઘવજીભાઈ પટેલ, રાજ્ય કક્ષાના શ્રમ અને રોજગારના મંત્રી  બ્રિજેશ મેરજા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, ડે. મેયર ડો. દર્શીતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધ પક્ષ નેતા ભાનુબેન સોરાણી, શાસક પક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, જીલ્લા કલેકટર અરૂણ મહેશબાબુ, પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, મ્યુનિ.કમિશ્નર અમિત અરોરા, બાંધકામ સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, ડ્રેનેજ સમિતિ ચેરમેન હિરેનભાઈ ખીમાણીયા, આરોગ્ય સમિતિ ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા, ડે.કમિશ્નર આશિષકુમાર, એ.આર.સિંહ  ઉપસ્થિત રહયા હતા.

રાજકોટ મહાનગરપાલિકા  નિર્મિત  ‘રામ વન’  અર્બન ફોરેસ્ટ, ઇલેક્ટ્રિક બસ ચાર્જીંગ સ્ટેશન, 23 ઇલેક્ટ્રિક બસોનું તેમજ વિવિધ કામોના લોકાર્પણ તથા ખાતમુર્હુત  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે   મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલએ જણાવ્યું હતું કે, પવિત્ર શ્રાવણ માસમાં શહેરીજનોને રામવનની સુંદર ભેટ મળેલ છે. જે અભિનંદનને પાત્ર છે. રામવનની ભેટ મળવાથી લોકોનો આનંદ બેવડાયો છે. રાજકોટ મહાનગરપાલિકાએ સંતુલિત વિકાસ કામો કર્યા છે. આઝાદીના અમૃત મહોત્સવમાં શહેરમાં સિમેન્ટ કોંક્રીટના જંગલ વચ્ચે અર્બન ફોરેસ્ટ ઉભું કરી છોડમાં રણછોડ અને પુષ્પમાં પરમેશ્વરના સુત્રને સાર્થક કર્યું છે. ગુજરાત સરકાર આ બાબતે અર્બન ફોરેસ્ટ નિર્માણ કરી રહી છે તેમજ આઝાદી કા અમૃત મહોત્સવ 75 વર્ષને ધ્યાનમાં રાખી 75 અમૃત સરોવર બનાવવાનો પ્રારંભ કરેલ છે. આ ઉપરાંત ગુજરાતમાં વધુમાં વધુ ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ થાય અને પ્રદુષણ ઘટે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી   વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતુ કે, ચાલુ તહેવારના દિવસોમાં રામવનનું લોકાર્પણ થયું તે ખુબ આનંદની વાત છે. શહેરમાં કોંક્રીટના જંગલો વધતા જાય છે ત્યારે તેની વચ્ચે અર્બન ફોરેસ્ટ ઉભું કરવામાં આવેલ છે. તે ખુબ જ સારી બાબત છે. સને 2019માં રામનવમીના દિવસે અયોધ્યા ખાતે રામમંદિરનું ખાતમુર્હુત  વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ કરેલ તે જ દિવસે રાજકોટ ખાતે અર્બન ફોરેસ્ટનું ખાતમુર્હુત કરવામાં  આવ્યું છે તેને મર્યાદા પુરષોતમ રામના નામ સાથે જોડી રામવન નામકરણ કરવામાં આવેલ. ભગવાન રામએ એકતા અને શ્રધ્ધાનું પ્રતિક છે. રાજકોટ મહાનગરપાલિકા હમેશા નવી વ્યવસ્થા અને નવો ચીલો પાડતું આવ્યું છે. કોંક્રીટના જંગલો વચ્ચે કુદરતી વન ઉભું કર્યું છે.

આ પ્રસંગે મેયર ડો.પ્રદિપ ડવે  જણાવ્યું હતુ કે, રામવનના લોકાર્પણથી ભગવાન રામની યાદો રાજકોટ શહેરમાં જોડાઈ છે. રામવનના લોકાર્પણથી સૌરાષ્ટ્ર, ગુજરાત અને દેશમાંથી લોકો મુલાકત લેશે તેવો મને વિશ્વાસ છે.

શહેરમાં પ્રદુષણ ઘટે તે માટે અગાઉ 23 બસોનું લોકાર્પણ કરવામાં આવેલ અને આજરોજ વિશેષ 23 બસોનું લોકાર્પણ થનાર છે.  આગામી ટુંક સમયમાં ત્રણ  બ્રિજનું  લોકાર્પણ થશે.

47 એકર જમીનમાં કુલ રૂપિયા 18.06 કરોડના ખર્ચે આ રામવન અર્બન ફોરેસ્ટનું નિર્માણ કરવામાં આવેલ છે. જેમાં ભગવાન શ્રી રામનાં જીવન ચરિત્ર પર આધારિત વિવિધ પ્રતિકૃતિઓ પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. ઉપરાંત રાશી વન, કુલ 15,900 ચો.મી.ના 2 તળાવો, ચિલ્ડ્રેન પ્લે ગ્રાઉન્ડ, આઠ ગઝેબો, બે વોચ ટાવર, 150 ની કેપેસિટીનું એમ્ફીથિયેટર, રામ સેતુ અને એડવેન્ચર બ્રિજ વિગેરે સુવિધા ઉપલબ્ધ રહેશે

80 ફુટ રોડ ખાતે રૂ. 11.63 કરોડના ખર્ચે 15,200 ચો.મી.માં 50 ઇલેક્ટ્રિક બસ માટેનું ચાર્જીંગ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવેલ. આ ચાર્જીંગ સ્ટેશનમાં 3100 વોટનું ઇંઝ વીજ કનેક્શન, 2500 વોટના 2 ટ્રાન્સફોર્મર, પેનલ રૂમ, કેબલ ડક્ટ, 240 કિલો વોટના 14 ચાર્જર સહિતનો તમામ ઇલેક્ટ્રિક બસ માટેનો ચાર્જીંગ શેડ વિગેરે સહીતની સુવિધા ઉપલબ્ધ કરાયેલ છે.

રાજકોટ શહેરની જાહેર પરિવહન સેવા માટે ઈ-મોબિલીટી (ઇલેક્ટ્રિક બસ) ની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સરકાર ના એકમ ઉયાફિળિંયક્ષિં જ્ઞર ઇંયફદુ ઈંક્ષમીતિશિંયત (ઉઇંઈં) ની ફ્રેમ ઇન્ડિયા ફેઇઝ-2 અંતર્ગત પ્રથમ તબક્કામાં 50 ઇલેક્ટ્રિક બસ જયારે બીજા તબક્કામાં 100 મીડી ઇલેક્ટ્રિક બસ મંજુર કરવામાં આવેલ, પ્રથમ તબક્કાની 50 ઇલેક્ટ્રિક બસ પૈકી અગાઉ 23 બસનું લોકાર્પણ કરવામાં આવેલ છે. આ ઇલેક્ટ્રિક બસો ઇછઝજ રૂટ તથા અઈંઈંખજ ના રૂટ પર ચલાવવામાં આવે છે. આજે અન્ય 23 મીની ઇલેક્ટ્રિક બસનું લોકાર્પણ કરવામાં આવશે. આ બસોમાં કુલ 27 મુસાફરો માટે આરામદાયક બેસવાની સુવિધા, ફૂલી ઓટોમેટિક પ્રવેશ દ્વાર, ઇમરજન્સી દ્વાર, ૠઙજ ઝફિભસશક્ષલ જુતયિંળ, મુસાફરોની સલામતી માટે જઘજ  ઊળયલિયક્ષભુ અહફળિની સુવિધા, કેમેરા, મનોરંજન માટે રેડીઓ સિસ્ટમ, ફાયર સેફ્ટી, મેડીકલ કિટ વિગેરે જેવી સુવિધાઓ આપવામાં આવેલ છે.

રૂ. 15.71 કરોડના ખર્ચે વોર્ડ નં. 15, 17, 18માં ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન, રૂ. 80 લાખના ખર્ચે વોર્ડ નં. 14માં ગુરુકુળ પમ્પીંગ સ્ટેશન ખાતે બનાવવામાં આવેલ ક્વોલીટી કંટ્રોલ સેલની લેબોરેટરીનું લોકાર્પણ કરવામાં આવશે.

રૂ. 1.48 કરોડના ખર્ચે વોર્ડ નં. 3 અને વોર્ડ નં. 4માં વોર્ડ ઓફીસ, રૂ. 3.66 કરોડના ખર્ચે રેલનગર વિસ્તારમાં રોડ વર્ક અને ઊજછ તથા રૂ. 80 લાખના ખર્ચે વોર્ડ નં. 2માં બજરંગવાડી ખાતે આરોગ્ય કેન્દ્ર બનાવવાનું ખાતમુર્હુત કરવામાં આવશે.

28 મી ઓગસ્ટ સુધી રામ વનમાં સહેલાણીઓને નિ:શુલ્ક પ્રવેશ મળશે

રામ વનના લોકાર્પણની સાથે પવિત્ર શ્રાવણ માસ અને આગામી સાતમ-આઠમના તહેવારોને ધ્યાનમાં રાખીને તા. 28 ઓગસ્ટ સુધી રામ વનની મુલાકાતે આવતા શહેરીજનોને નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે. તમામ શહેરીજનોને રામ વનની મુલાકાત લેવા મહાનુભાવોએ જનતા જનાર્દનને અપીલ કરી હતી.

તહેવારોમાં રામવનનું લોકાર્પણ આનંદની વાત:મુખ્યમંત્રી

Img 20220818 Wa0019

તહેવારના દિવસોમાં રામવનનું લોકાર્પણ થયું તે ખુબ આનંદની વાત છે. શહેરમાં કોંક્રીટના જંગલો વધતા જાય છે ત્યારે તેની વચ્ચે અર્બન ફોરેસ્ટ ઉભું કરવામાં આવેલ છે. તે ખુબ જ સારી બાબત છે. સને 2019માં રામનવમીના દિવસે અયોધ્યા ખાતે રામમંદિરનું ખાતમુર્હુત વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ કરેલ તે જ દિવસે રાજકોટ ખાતે અર્બન ફોરેસ્ટનું ખાતમુર્હુત કરવામાં આવેલ અને તેને મર્યાદા પુરષોતમ રામના નામ સાથે જોડી રામવન નામકરણ કરવામાં આવેલ. ભગવાન રામએ એકતા અને શ્રધ્ધાનું પ્રતિક છે. રાજકોટ મહાનગરપાલિકા હમેશા નવી વ્યવસ્થા અને નવો ચીલો પાડતું આવ્યું છે. કોંક્રીટના જંગલો વચ્ચે કુદરતી વન ઉભું કર્યું છે. મહાનગરપાલિકા દ્વારા રસ્તા, ગટર, લાઈટ, પાણીની પ્રાથમિક સુવિધા જ નહી પરંતુ કલા, સાહિત્ય અને સંસ્કૃતિના કામો કરવામાં આવ્યા છે તે અભિનંદનને પાત્ર છે.તેમ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.