Abtak Media Google News

સુપ્રીમ કોર્ટે ’આદેશોનું પાલન કરવાના કારણો’ ની પ્રથાની ટીકા કરી રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ આયોગને ઓપરેટીંગ ઓર્ડરની સાથે તર્કસંગત ચુકાદો પસાર કરવા નિર્દેશ આપ્યો છે.

ન્યાયાધીશ ઇન્દુ મલ્હોત્રા અને ન્યાયાધીશ અજય રસ્તોગીની ખંડપીઠે અવલોકન કર્યું હતું કે, એનસીડીઆરસી સમક્ષ એવી તમામ બાબતોમાં જ્યાં કારણો પૂરા પાડવામાં આવ્યાં નથી, તે દાવો કરનાર પક્ષોને બે મહિનાની અવધિમાં ઉપલબ્ધ કરાવવામાં આવે.

જો ચુકાદામાં કારણો ઉપલબ્ધ ન હોય તો પીડિત પક્ષોના હક્કોનો પૂર્વગ્રહ કરવામાં આવી રહ્યો છે, કોર્ટમાં કારણોની તપાસ થાય છે. જેનો હક્ક પીડિતને મળતો નથી. એવું પણ સામે આવ્યું હતું કે વર્ષ ૨૦૧૯ના ૧૨માં સુધીમાં ૮૫ એવા કેસ હતા જ્યાં ઓપરેટીવ ઓર્ડર આપી દેવાયા હતા પરંતુ કારણ દર્શી ચુકાદા અપાયા ન હતા.

વડી અદાલત દ્વારા કરવામાં આવેલું પૃથ્કરણમાં ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની અને જીક્ષહુ ક્ષીએના કેસમાં થયેલા ચુકાદાનો ઉલ્લેખ થયો હતો. જેમાં બંધારણની કલમ ૧૨નું હનન થયું હોવાનું સામે આવ્યું હતું. ગ્રાહક સુરક્ષા ફોરમે દ્વારા ચુકાદાના કારણો બે મહિનામાં અપાય જવા જોઈએ તેવી તાકીદ વડી અદાલત દ્વારા કરવામાં આવી હતી. વડી અદાલતે એનસીડીઆરસીની પ્રણાલી અંગે પણ નિંદા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.