Abtak Media Google News

વી.વી.પી. લાઇબ્રેરી દ્વારા રાષ્ટ્રીય લાઇબ્રેરીયન્સ ડેની ઉજવણી

વિશ્ર્વના શ્રેષ્ઠ લાઇબ્રેરીયન તરીકેનું સ્થાન પ્રાપ્ત કરનાર ડો. એસ.આર. રંગનાથનના પાંચ સુત્રો દ્વારા લાયબે્રરીની પરિકલાના

શ્રેષ્ઠ પુસ્તકો, ટેકનોલોજીના ઉપયોગ માટે માનવ મનને શ્રેષ્ઠ બનાવીએ તો જ વાંચન સામગ્રીનો ઉપયોગ સાર્થક

રાજકોટની વી.વી.પી. લાઈબ્રેરીની પરંપરા મુજબ તા.૧ર ઓગષ્ટના રોજ વી.વી.પી. જ્ઞાનકેન્દ્ર દ્વારા ડો.એસ.આર.રંગનાન કે જેઓ ભારત જ નહીં પરંતુ વિશ્વના શ્રેષ્ઠ લાઈબ્રેરીયન તરીકે સન પામ્યા છે તેમના જન્મદિવસની તેમજ રાષ્ટ્રીય લાઈબ્રેરીન્સ ડે ની સાંપ્રત સમયને ધ્યાને લઈ અનોખી ઓનલાઈન જ્ઞાનવર્ધક ઉજવણી કરવામાં આવી હતી. આ ત્રિવિધ જ્ઞાનદેય કાર્યક્રમમાં ટોપ ટેન વિર્દ્યાીઓને તા ટોપ ફાઈવ સ્ટાફને ઓનલાઈન સન્માનિત કરવામાં આવ્યા હતા જેઓને ઈ-સર્ટીફીકેટ આપવામાં આવશે. સો જ ઓનલાઈન ડોકયુમેન્ટ ડીલવરી સર્વીસનું તેમજ પુસ્તક પરબનું ઉદધાટન કરવામાં આવેલ હતુ. આ પ્રસંગે જેમનું અમુલ્ય માર્ગદર્શન મળેલ હતું તેવા વી.વી.પી. ના ટ્રસ્ટીઅને આયુર્વેદ યુનિવર્સીટીના પૂર્વ કુલપતિઅને હરતી-ફરતી લાઈબ્રેરી કહી શકાય તેવુ ઉચ્ચ બૌધિક સ્તર ધરાવતા આ. ડો.સંજીવભાઈ ઓઝાએ પોતાના મનનીય પ્રવચનમાં જણાવેલ હતું કે,  જેમ ડો. એસ. આર. રંગનાને આપેલ પાંચ સુત્રો દ્વારા લાઈબ્રેરીની સમગ્ર પરિકલ્પના સાકાર થાય છે તેમ આપણે પણ આપણા જીવનમાં સદપરિવર્તન માટે પાંચ સુત્રો અપનાવવા જોઈએ, જેમાં પ્રમ સુત્ર હતું કે વાંચન જીવનનો નિત્ય ક્રમ બને. મહતમ અધ્યયન સાથે મૈાલિક ચિંતન.ઈલેકટ્રોનિકસ માધ્યમી વાંચતા હોઈએ-કે પછી ફીઝીકલ માધ્યમી. પણ દરેક વાંચન બાદ તેનો અભ્યાસ, તેનું મૌલિક ચિંતન અને તે આજના સંદર્ભમાં કેટલું ઉપયોગી છે? આવું સેલ્ફ ઈન્ટ્રોસ્પેકશન કરીએ. આપણા રોજીંદા જીવનમાં આત્મકાઓ, જીવન ચરિત્રો, મહાપૂરૂષોના પ્રસંગો, આપણી સંસ્કૃતિની વાતો વિગેરેનું કંઈને કંઈ વાંચન કરીએ-ચર્ચા કરીએએ. પોતાના પ્રધ્યાપક ગણ/મિત્ર વર્તળ/ગુરૂજનો સાથે-ચર્ચા-અને ત્યારબાદ સ્પષ્ટતા સુધીની નકકર ચર્ચા, અને જે દ્વારા વ્યકિત/સમાજ/રાષ્ટ્ર ઘડતર કરીએ. એ ટેકનોલોજી શ્રેષ્ઠ હોય/પુસ્તકો શ્રેષ્ઠ- ઉપયોગ કરવા માટે માનવ મન તૈયાર રાખીએ.એ તે બિન વપરાયેલ પડયુ રહે નહી તે જોવું

Advertisement

આપણી ફરજ છે. લાઈબ્રેરીમાં રહેલ તમામ સુવિધા અને વાંચનસામગ્રીનો મહતમ ઉપયોગ પ્રાધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓએ કરવો જોઈએ.

જીવન ઉપયોગી, વ્યવસાય તેમજ સમાજ ઉપયોગી સાહિત્યને વાંચનનો ભાગ બનાવીએ, આ કાર્યક્રમમાં બેસ્ટ યુઝર ટોપ ટેન વિર્દ્યાીઓમાં પ્રથમ ક્રમાંકે ડેનીશ ગોધાણી(કેમીકલ),  દ્વિતીય જસ કવા(કેમીકલ), તૃતીય હેત જોષી (મીકેનીકલ),  ચોથા દ્રષ્ટિ પરસાણા (ઈલેકટ્રો. એન્ડ કોમ્યુ.),  પાંચમાં બિનલ મહેતા (ઇલેકટ્રો.એન્ડ કોમ્યુ.), છઠ્ઠા  અપૂર્વ રાઠોડ (કોમ્પ્યુટર), સાતમાં નમન પુરોહિત(ઈલેકટ્રીકલ),  આઠમાં ભાવીક પંડયા (મીકેનીકલ),  નવમાં  પ્રકાશ ગઢવી (કેમીકલ) અને દશમાં ક્રમાંકે રવી મોરી (સિવીલ) બેસ્ટ યુઝર તરીકે સન્માનિત યેલ છે. તદ્ઉપરાંત  બેસ્ટ યુઝર ટોપ ફાઈવ કર્મચારીઓમાં પ્રમ ક્રમાંકે પ્રો. જીજ્ઞેશભાઈ શાહ(સિવીલ),  દ્વિતીય ક્રમાંકે પ્રો. ડો.સચીનભાઈ રાજાણી(ઈલેકટ્રીકલ), તૃતીય ક્રમાંકે સ્નેહલબેન પરસાણા (કોમ્પ્યુટર), ચોથા ક્રમાંકે પ્રો.કોમીલભાઈ વોરા(ઈન્ફો. ટેકનો.) અને પાંચમાં ક્રમાંકે ચિરાગભાઈ માલવી (ઓફીસ) આવેલ છે. લાઈબ્રેરીની પ્રવૃત્તિને બિરદાવી હતી . લાઈબ્રેરીયન ડો. તેજસ શાહે ડો. રંગનાનના જીવન-કવનની માહિતી આપી આજના કાર્યક્રમના ત્રિવિધ વાંચન પ્રકલ્પો અને તેની ઉપયોગીતા વિશે સમજણ આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય ડો. જયેશ દેશકર સાહેબના માર્ગદર્શન હેઠળ ગ્રંપાલ ડો. તેજસ શાહ તથા કલ્પેશ છાંયા, બકુલેશભાઈ રાજગોર, ધવલ જોશી, હિતેષ ત્રિવેદી, કેતન પરમાર, દિપેન વ્યાસે જહેમત ઉઠાવી હતી. ઉપરોકત કાર્યક્રમની સફળતા બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઈ મહેતા,  કૌશિકભાઈ શુકલ, ટ્રસ્ટી ડો. સંજીવભાઈ ઓઝા, ટ્રસ્ટીહર્ષલભાઈ મણીઆરે  અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.