Abtak Media Google News

કોંગ્રેસ કાર્યાલય સહિત 3 જગ્યાએ આક્રોશભેર કોંગ્રેસનું પૂતળાં દહન કરતું બજરંગ દળ

હાલ કર્ણાટકમાં ચૂંટણી આવી રહી છે, ત્યારે કોંગ્રેસ દ્વારા તેના નેતાઓ હિન્દુ વિરોધી વાહિયાત વાતો કરી બજરંગ દળ સામે પોતાની હિન્દુ વિરોધી માનસિકતા દેખાડી આતંકી સંગઠન પીએફઆઇ સાથે સરખાવી પ્રતિબંધ મૂકવાની વાત કરી રહ્યું છે, ત્યારે દેશભરમાં બજરંગ દળના યુવાનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. જેને પગલે જામનગરમાં પણ બજરંગ દળના યુવકો દ્વારા કોંગ્રેસ કાર્યાલયો સામે પૂતળા દહન કરી દેખાવો કરવામાં આવ્યા છે.

જામનગરના ટાઉનહોલ ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલય પાસે જ બજરંગ દળના અગ્રણી કાર્યકરોએ એકત્ર થઈ કર્ણાટક કોંગ્રેસના નેતા દ્વારા આતંકી સંગઠન સાથે બજરંગ દળને સરખાવી હિન્દુવિરોધી માનસિકતાના નેતાઓ ધરાવતી કોંગ્રેસનો વિરોધ કરી તેના પૂતળાંનું દહન કર્યું હતું.

ત્યાર બાદ લીમડા લાઈન ખાતે આવેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પાસે પણ બજરંગ દળના કાર્યકરો દ્વારા કોંગ્રેસની નનામી કાઢી જાહેરમાં કોંગ્રેસના પૂતળા સાથેની અર્થીને અગ્નિસંસ્કાર આપી “રામ નામ સત્ય હૈ કોંગ્રેસ અસ્ત હૈ” ના નારાઓ લગાવી આક્રોશભેર વિરોધ કરવામાં આવ્યો હતો.

બજરંગ દળ ના કાર્યકરોએ જામનગરમાં વિરોધ પ્રદર્શન કરી અને ચીમકી આપી છે કે, રાષ્ટ્રના હિતમાં હિન્દુત્વની વિચારધારા સાથે કામ કરતા બજરંગ દળના રાષ્ટ્રવ્યાપી સંગઠન સામે વાહિયાત વાતો કરી મત અંગે કરવા નીકળેલી અને હાર ભાળી ગયેલી કોંગ્રેસને તેની ઓકાત યાદ કરવી જોઈએ.

જામનગર શહેરમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય અને શહેર કોંગ્રેસ કાર્યાલય ઉપરાંત લાલ બંગલા સર્કલમાં ત્રણ સ્થળોએ કોંગ્રેસ ના વાહિયાત નિવેદન અને બજરંગ દળ પર પ્રતિબંધ લગાવવાની વાત સામે બજરંગ દળના કાર્યકરોએ એકત્ર થઈ બબ્બે પૂતળા દહન કરતાં રસ્તા ઉપર ચકકાજામના દ્રશ્યો પણ સર્જાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.