Abtak Media Google News

સૌરાષ્ટ્ર-કચ્છમાં 27 સહિત રાજયનાં કોરોનાના નવા 184 કેસ નોંધાયા એક દર્દીનું મોત: એકિટવ કેસનો આંક 991 એ પહોચ્યો

રાજકોટમાં બુધવારે કોરોનાનો જાણે બ્લાસ્ટ થયો હોય તેમ એક જ દિવસમાં શહેરમાં કોરોનાના નવા 10 અને જિલ્લામાં 3 કેસ નોંધાયા હતા રાજયમાં સતત સંક્રમણ વધી રહ્યું છે. ગઈકાલે નવા 184 કેસ નોંધાયા હતા. અમદાવાદમાં એક દર્દીનું કોરોનાથી મોત નિપજયું હતુ. હાલ રાજયમાં કોવિડના 991 એકિટવ કેસ છે.જે પૈકી એક દર્દી વેન્ટીલેટર પર છે.

ગુજરાતમાં બુધવારે દિવસ દરમિયાન કોરોનાના નવા 184 કેસ નોંધાયા હતા. જયારે 112 દર્દીઓ કોવિડને મ્હાત આપવામાં સફળ રહ્યા હતા અમદાવાદ કોપર્દોરેધશનમાં 50 ટકા જેટલા કેસ અર્થાત 91 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં 18 કેસ, સુરત કોર્પોરેશન વિસ્તારમાં 16 કેસ, રાજકોટ શહેરમાં નવા 10 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 7 કેસ, જામનગર કોર્પોરેશનમાં નવા બે કેસ અને ભાવનગર કોર્પોરેશન વિસ્તારમાં નવો એક કેસ નોંધાયો હતો. કચ્છ, સુરત, અને વલસાડ જિલ્લામાં ચાર-ચાર કેસ નોંધાયા હતા. જયારે અમદાવાદ, ભરૂચ, ગાંધીનગર, જામનગર, રાજકોટ જિલ્લામાં 3 કેસ, આણંદ, ગીર સોમનાથ ખેડા, મોરબી અને નવસારી જિલ્લામાં બે બે કેસ જયારે નવસારી અને પંચ મહાલ જિલ્લામાં નવા એક એક કેસ નોંધાયો હતો.

અમદાવાદમાં બુધવારે કોરોનાથી એક દર્દીનું મોત નિપજયું હતુ. હાલ રાજયમાં 991 એકિટવ કેસ છે. એક દર્દી વેન્ટીલેટર પર છે અત્યાર સુધી 10946 દર્દીઓના કોરોનાથી મોત નિપજયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.