Abtak Media Google News

આગામી ૧૯મી ઓગસ્ટથી જૈનોના પવિત્ર પર્યુષણ પર્વનો આરંભ થઈ રહ્યો છે. ત્યારે મહાપાલિકા દ્વારા તમામ કતલખાનાઓ બંધ રાખવા મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે આકરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના પત્ર તથા સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ રાજકોટ મહાપાલિકા દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

જેમાં જૈનોના પવિત્ર પર્યુષણ પર્વ નીમીતે આગામી ૧૯થી ૨૬ ઓગસ્ટ એમ ૮ દિવસ મહાપાલિકા વિસ્તારમાં આવેલા તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવા તેમજ માંસ, મટન, મચ્છીનું વેંચાણ કે સંગ્રહ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.

સંબંધીત અધિકારીઓએ આ જાહેરનામાની ચૂસ્તપણે અમલવારી કરાવવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે બીપીએમસી એકટ ૧૯૪૯ અન્વયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.