Abtak Media Google News

આવા સમુદાયના લોકોની માનવ અધિકારની સુરક્ષા સમર્થન અને આદર આપવા સરકારો અને ભાગીદારોને અપીલ

યુએનએઇડસ અને ગે પુરૂષોના સ્વાસ્થ્ય અને અધિકારો માટે એમપીઓટો ગ્લોબલ એકશન અત્યંત ચિંતિત છે કે લેસ્બિયન, ગે, બાયસેકસ્યુઅલ, ટ્રાન્સજેન્ડર અને ઇન્ટર સેકસ (એલજીબીટીઆઇ) લોકોને રોગના વાહન તરીકે બહાર કાઢવામાં આવે છે. દોષી ઠેરવવામાં આવે છે, જેલમાં રાખવામાં આવે છે અને કલંકીત કરાય છે. કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન, યુએનએઇડસ અને એમ.પી.એ.ટી. પણ ભારે તકલીફમાં છે કે એલજીબીટીઆઇ લોકો સલામત અને ગુણવત્તાયુકત આરોગ્ય સેવાઓ સહિત તેમના હકકોની પ્રાપ્તિ માટે જે પડકારોનો સામનો કરી રહ્યા છે તેને આ ભેદભાવપૂર્ણ પગલાઓનું સંયોજન બનાવી રહ્યું છે.

Advertisement

એચ.આઇ.વી. એ અમને શિખવ્યું છે કે હિંસા, ગુંડાગીરી અને ભેદભાવ જ લોકોને વધુ જરુરીયાતમાં હાંસિયામાં લાવવાનું કામ કરે છે, યુએનએઇડસના એકિઝકયુટીવ ડિરેકટર વિન્ની બ્યાનીમાએ જણાવ્યું હતું, બધા લોકો, જાતીય અભિગમ, લિંગ ઓળખ અથવા લિંગ અભિવ્યકિતને ઘ્યાનમાં લીધા વિના, અપવાદ વિના, આરોગ્ય, સલામતિ અને સલામતીના હક માટે હકદાર છે હવે પહેલા કરતા વધુ માન અને ગૌરવની જરૂર છે.

બેલિઝમાં અહેવાલોમાં ગે પુરૂષની પોલીસ દ્વારા વિસ્તૃત દુરૂપયોગ  કરવામાં આવ્યો છે જેની ધરપકડ કરવામાં આવી હતી. અપમાન કરવામાં આવ્યું હતું. અને કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે લાદવામાં આવેલા કફર્યુ તોડવા બદલ માર મારવામાં આવ્યો હતો. રપ વર્ષિય એચ.આય.વી. સાથે રહેતો હતો અને માનવામાં આવે છે કે પોલીસ દ્વારા ઘાયલ થયેલી ઇજાઓને લીધે રહેલી ગુંચવણોને પરિણામે તેનું મોત નિપજયું હતું.

એમપીએટીના એકિઝકયુટીવ ડિરેકટર જયોર્જ આયલાએ જણાવ્યું હતું કે અમને એવા અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે કે કેટલાક દેશોમાં સરકાર અને ધાર્મિક નેતાઓ ખોટા દાવા કરી રહ્યા છ અને એલજીબીટીઆઇ લોકો સામે હિંસા અને ભેદભાવ માટે ઉશ્કેરવામાં આવી રહેલી કોવિડ-૧૯ વિશે ખોટી માહિતી આપી રહ્યા છે. સંસ્થાઓ અને ઘરો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. એલજીબીટીઆઇ લોકોને માર મારવામાં આવી રહ્યા છે. અને ધરપકડમાં વધારો થયો છે અને એલજીબીટીઆઇ આશ્રય મેળવનારાઓને દેશ નિકાલ કરવાની ધમકી આપવામાં આવી છે.

યુગાન્ડામાં તાજેતરમાં ર૦ એલજીબીટીઆઇ લોકોને આશ્રય સ્થાન પર કરવામાં આવેલા દરોડામાં ધરપકડ કરવામાં આવી હતી, જેનો પોલીસ અધિકારીઓએ દાવો કર્યો હતો કે તેઓ તેમની સામાજીક અંતરની કાર્યવાહીનો અનાદર કરવાને કારણે હતા. ફિલિપાઇન્સમાં ત્રણ એલજીબીટીઆઇ લોકો એવા જુથમાં હતા જેમને જાહેરમાં કફર્યુ તોડવા બદલ સજા તરીકે અપમાનિત કરવામાં આવ્યા હતા. ઘટનાના ભાગો ઓનલાઇન વાયરલ થયા પછી પોલીસ કેપ્ટનને એલજીબીટીઆઇ જુથના સભ્યોને ગાવા માટે અને એકબીજાને નાચવા અને ચુંબન કરવા કહેવા બદલ માફી માંગવાની ફરજ પડી હતી.

કેટલાક એલજીબીટીઆઇ લોકો માટે સ્વ-અલગતા અને શારીરિક અંતર ખાસ કરીને પડકારરુપ હોઇ શકે છે, ખતરનાક પણ હોઇઅને સર્વેલન્સના વધેલા પ્રયત્નો દ્વારા સૌથી વધુ અસર થાય છે.

કેટલાક એલજીબીટીઆઇ લોકો માટે સ્વ-અલગતા અને શારિરીક અંતર ખાસ કરીને પડકારરુપ હોઇ શકે છે, ખતરનાક પણ હોઇ શકે છે. ઘણા એલજીબીટીઆઇ લોકો અસ્વીકાર્ય પરિવારના સભ્યો સાથે ઘરોમાં આશ્રય કરતી વખતે હિંસા અને-અથવા ખરાબ વર્તનનો સામનો કરે છે. એલજીબીટીઆઇના લોકો ઘરે રહીને ધનિષ્ઠ ભાગીદારની હિંસાથી પણ પીડાઇ શકે છે, અનિશ્ર્ચિતતાના ડરને કારણે પોલીસને દુરૂપયોગના કેસોની જાણ કરવાની ક્ષમતા વિના એકલતા, ઉદાસીનતા, અસ્વસ્થતા અને આત્મહત્યાની વિચારધારા સહિત એલજીબીટીઆઇ લોકોમાં સામાન્ય અસ્તિત્વમાં રહેલી માનસીક સ્વાસ્થ્યની પડકારોને પણ વધારી શકે છે.

કોવિડ-૧૯ રોગચાળો ઘણા જાતિ પુરૂષો અને ટ્રાન્સજેન્ડર મહિલાઓને તેમના જાતીય સ્વાસ્થ્ય અને અધિકારોના નિયંત્રણમાં લેવા માટે પૂરતા સાધનો વગર છોડી દે છે. એચ.આય.વી. સંક્રમણોમાં ગે પુરૂષો લગભગ ર૦ ટકા  જેટલા હોય છે અને એચ.આય.વી. ચેપ લાગવાની સંભાવના અન્ય પુરૂષો કરતા રર ગણા વધારે હોય છે. ટ્રાંસજેન્ડર મહિલાઓ એચ.આય.વી. પ્રાપ્ત કરવાનું જોખમ ધરાવે છે જે સામાન્ય વસ્તી કરતા ૧ર ગણા વધારે છે.

યુએનએઇડસ અને એમપી એકટ દેશોને આ માટે વિનંતીકરી છે. કોવિડ-૧૯ ના પ્રસાર માટે બલિનો બકરો, નિંદાઓ અથવા અન્ય એલજીબીટીઆઇ લોકોને દોષી ઠેરવે છે તેવી ખોટી માહિતીને નકારી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.