Abtak Media Google News

ગોંડલ: કોરોના કહેર અને મોતના આંકડાથી માનવજીવન ફફડી રહ્યું છે. કોરોના લઈને પોઝિટિવ વિચાર લાવો અને આપણે હારવાનું નથી, કોરોનાને હરવવાનો છે. ગોંડના વોરાકોટડા રોડ ઉપર રહેતા વૃદ્ધે તાલુકાના વાસાવડ ગામે દરગાહની અંદર જઇ છરી વડે ગળું કાપી આત્મહત્યા કરી લેતાં લેતા ચકચાર મચી છે. બનાવની જાણ થતા તાલુકા પોલીસે દોડી જઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.

પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના વાસાવડ ગામે આવેલ હઝરત સૈયદ હાનુ દિન દરગાહમાં ગળુ કપાયેલી હાલતમાં લોહીથી લથબથ લાશ પડી હોવાની તાલુકા પોલીસને જાણ થતા પીએસઆઇ એમ જે પરમાર સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો પ્રથમ વૃદ્ધ ની ઓળખ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા દરમિયાન માલુમ પડ્યું હતું કે વૃદ્ધ ગોંડલના વોરાકોટડા રોડ ઉપર રહેતા જેન્તીભાઈ બાબુભાઇ જોટંગીયા છે પોલીસે તેમના પુત્રોનો સંપર્ક કરી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તેમના પુત્રોએ પિતાની લાશની ઓળખ બતાવી છરી પણ પોતે સાથે ઘરે રાખતા હોવાનું જણાવ્યું હતું.

જેન્તીભાઈ ના પુત્રોએ પોલીસને જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોથી જેન્તીભાઈ ની તબિયત નાદુરસ્ત રહેતી હતી અને રિપોર્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવ્યા અને ઘરે ઓક્સિજન થી સારવાર ચાલી રહી હતી દરમિયાન સવારના કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા નાના પુત્ર ફોન કરી તપાસ કરતાં જણાવ્યું હતું કે હું મોવિયા ગામ પાસે છું સુરક્ષિત થોડી વારમાં ઘરે આવી જઈશ પરંતુ ખાસો સમય સુધી ઘરે ન આવતાં પોલીસ નો ફોન આવતા ઘટનાની જાણ થઈ હતી.

જેન્તીભાઈ વાસાવડ દરગાહમાં અવારનવાર દર્શને આવતા હતા અને હઝરત સૈયદ ને પોતાના ગુરૂ માનતા હતા પોતાના ઘરે ગુરુ નો ફોટો પણ રાખ્યો હતો અને પૂજાઅર્ચના પણ કરતા હતાં. જોકે,આપણે કોરોના લઈને પોઝિટિવ વિચાર લાવો અને આપણે હારવાનું નથી, કોરોનાને હરવવાનો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.