Abtak Media Google News

ભાવનગર રેલવે દવાખાના પાસે લાલ ટાંકી નજીક રહેતાં દંપત્તી વચ્ચે ચાલતા ઝઘડાના કારણે જનેતાએ પોતાના બે માસુમ બાળકોને પાણીમાં ડુબાડી મોતને ઘાટ ઉતારી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રેલવે દવાખાના પાસે રહેતી સુનિતાબેન અજયભાઇ મકવાણાએ પોતાની નવ વર્ષની પુત્રી દ્રષ્ટી અને છ વર્ષના પુત્ર ધામિકને રાજપરા ખોડીયાર મંદિરે દર્શન કરવા લઇ જઇ તળાવમાં બંને બાળકોને ડુબાડી મોતને ઘાટ ઉતારી દીધા અંગેની અજય જંયતીભાઇ મકવાણાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અજયભાઇ અને સુનિતાબેન વચ્ચે છેલ્લા સાતેક માસથી ઘર કંકાસ ચાલતો હોવાથી બંને બાળકોને ખોડીયાર માતાજીના દર્શન કરવા જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ બંને બાળકોની હત્યા કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. પોલીસે સુનિતાબેન મકવાણા સામે બંને બાળકોની હત્યાનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.