Abtak Media Google News

ખેડૂત ઉત્કર્ષ સમિતી દ્વારા રેલી કાઢી આવેદનપત્ર અપાયું

જામ-જોધપુરથી તરસાઇ સુધીનો આશરે 35 કિલોમીટરનો રસ્તો. હાલના સમયમાં અતિ બિસ્માર હોય આ રસ્તાનું કામ આશરે 9 વર્ષ પહેલા કરવામાં આવેલ હતું ત્યારબાદ આ રસ્તામાં ખાસ કાંઈ રિપેરીંગ કરવામાં આવેલ નથી હાલ આ રસ્તો ખાડા ખડબાવાળો હોય આ રસ્તો મહીકી સતાપર – વાંસજાળિયા ઉદેપુર સહીત અનેકનેસડા ને જોડતો  મુખ્ય માર્ગ છે આ વિસ્તારમાં ખેતી અને પશુપાલન મુખ્ય વ્યવસાય હોય પ્રજાને તેમની જીવનજરૂરી વસ્તુ ખરીદવા જામ-જોધપુર આવવું પડતું હોય આ વિસ્તારની પ્રજા દ્વારા આ રસ્તાનો રોજીંદો ઉપયોગ થાય છે.

આ ખખડધજ રસ્તાને કારણે છેલ્લા ત્રણ વરસમાં અકસ્માત ક્ષી 24 જેટલા મૃત્યુ પામ્યા છે તેમજ અસંખ્ય અકસ્માતો થયા છે. આ વિસ્તારની પ્રજાને ઇમરજન્સી દર્દીને તેમજ પ્રસૂતિ સમયે હોસ્પીટલે પહોંચવું મુશ્કેલ પડે છે તેમજ આ રસ્તો સીંગલ પટ્ટીનો હોય ટ્રાફિક સમસ્યા રહે છે, જેથી આ વિસ્તારની પ્રજાના હિતમાં આ રસ્તો ડબલ પટ્ટીનો ન કરી ફરી બનાવવા તેમજ રબારીકાથી ઝીણા વાળીનો રસ્તો પહોળો કરવા તેમજ નંદાણાથી સ્ટેટ હાઇટેને જોડતો રસ્તો બનાવવા અન્યથા આ માંગણી નહી સ્વીકારવામાં આવે તો નાછુટકે રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી માંગ સાથે જામજોધપુર તાલુકાના ખેડૂત હિત રક્ષક સમિતીના હેમતભાઈ ખવાના નેજા હેઠળ તાલુકા પંચાયત સદસ્ય હેમત કરંગીયા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ગોવીંદભાઈ બડીયાવદરા તાલુકા પંચાયત પુર્વ સદસ્ય સાજણભાઈ બોદર તાલુકા સંઘના સભ્ય કારા પટેલ તરસાઈના સરપંચ રતેશભાઈ પુર્વ સરપંચ અશોકભાઈ ફળદુ સત્તાપરના ઉપસરપંચ રામભાઈ પુર્વ સરપંચ દેવા રાજભાઈ છેલાણા અગ્રણી જયદીપ હેરમાં પરબતભાઈ કાંબરીયા ઈશ્વરીયા સરપંચ મહેન્દ્રભાઇ અગ્રણી શૈલષગીરી ગોસ્વામી રાજુભાઇ ધુડા ભરવાડ સમાજના અગ્રણી નારણભાઇ વગેરેની ઉપસ્થીતીમાં શહેરના મુખ્ય માર્ગ પર રેલી કાઢી મામલતદાર જામ-જોધપુરને આવેદનપત્ર અપાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.