અખિલ ગુજરાત વિદ્યુત કર્મચારી સંઘના અગ્રણી મહેશ દેસાણીએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૯ કર્મચારીઓ માટે મહત્વપૂર્ણનું કારણ કે સંઘ દ્વારા મુકવામાં આવેલી માંગણીઓ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ તેમજ પીજીવીસીએલ દ્વારા મહદ અંશે સ્વીકારવામાં આવી છે. હજુ પણ અનેક માંગણીઓ મંજુરી પ્રક્રિયામાં છે જે ટુંક સમયમાં જ સ્વીકારી લેવામાં આવશે. એકંદરે પીજીવીસીએલના વર્ગ-૩ અને ૪ ના કર્મચારીઓએ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં નિષ્ઠાપૂર્વક કામ કર્યુ છે. જે બદલ હું તમામ કર્મચારીઓનો આભારી છું . વર્ષ ૨૦૧૯ પીજીવીસીએલના કર્મચારી તેમજ અમિલ ગુજરાત વિદ્યુત કર્મચરી સંઘ માટે ખુબ જ મહત્વપૂર્ણ હતું. ઉ૫રાંત તેમણે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૯માં સંઘ દ્વારા જે માંગણીઓ મુકવામાં આવી હતી તે તમામ મંજુરી પ્રક્રિયા હેઠળ છે. તો વર્ષ ૨૦૧૯ નો ફાયદો વર્ષ ૨૦૨૦ માં મળશે તે સ્પષ્ટ છે તેમજ દર ત્રણ વર્ષે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા અધિવેશન રાખવામાં આવે છે જેનું આયોજન આગામી તા. ૧૧-૧ર ના રોજમાં અંબાજીના ધામ ખાતે કરવામાં આવ્યું છે જેમાં કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત થશે તેવી આશા છે.
Trending
- ગિપ્પી ગ્રેવાલ અને તેજસ્વી પ્રકાશ પંજાબી પોશાકમાં સુંદર દેખાયા
- કિંજલ દવેના બ્લેક ગ્લેમરસ લૂકે ચાહકોને ઘેલું લગાડ્યું
- “ધ ચોકલેટ રૂમ” રાજકોટની ચોકલેટ પ્રેમી જનતા માટે નવું નજરાણું
- Windows 11ના ખાસ ફીચર્સથી મિનિટોમાં કામ થશે
- રકતની એક બુંદ મુરઝાતી માનવ જીંદગી માટે બને છે સંજીવની
- આનંદનગર અને અજંતા પાર્કમાં જર્જરિત 100 ક્વાર્ટરના નળ-વિજ જોડાણ કાપવાનું શરૂ કરાતા દેકારો
- સંઘ અને ભાજપ વચ્ચે તિરાડ?
- 2025 BMW M5ની પહેલી ઝલક આવી સામે….