Abtak Media Google News

ટાગોર રોડ ઉપર નાગર બોડીંગના મેદાનમાં સરગમ કલબ અને સરગમ ચિલ્ડ્રન કલબ દ્વારા યોજાયેલા કનૈયાનંદ રાસોત્સવમાં બાળ ખેલૈયાઓ જમાવટ કરી રહ્યા છે. ગઇકાલે રાસોત્સવમાં બાળકોને ગુણવંતભાઇ ડેલાવાળા ભૂપતસિંહ જાડેજા, ઉષાબેન પટેલ, વલ્લભભાઇ ગોંડલીયા, ધીરુભાઇ હિરાણી, હરેશભાઇ શાહ, અનવરભાઇ ઠેબા વગેરે મહાનુભાવો ના હસ્તે ઇનામ વિતરણ કરાયું.

Advertisement

આજે કનૈયાનંદ રાસોત્સવ નિહાળવા માટે અભયભાઇ ભારદ્વાજ, નરેન્દ્રભાઇ દવે, ધનસુખભાઇ વોરા, કિરીટભાઇ આદ્રોજા, કરસનભાઇ પટેલ, રમેશભાઇ ઠકકર, બલરામ મીણા, ડો. રવિમોહન સૈની, સુનીલભાઇ ધેડીયા અને મિલનભાઇ કોઠારી વગેરે ઉ૫સ્થિત રહેશે અને વિજેતાઓને ઇનામો આપશે.

જયારે કાલે અરવિંદભાઇ પાટડીયા, શિવલાલભાઇ આદ્રોજા, બાલેન્દ્ર ભાઇ વાઘેલા વી.પી. જાડેજા, મિતલભાઇ ત્રિવેદી, કિશોરભાઇ પટેલ, મહેશભાઇ ચૌહાણ, વિરેન્દ્રસિંહ ઝાલા, ભાયાભાઇ સાહોલીયા અને ભરતભાઇ કકકડ સહીતના મહાનુભાવો ઉ૫સ્થિત રહેશે.

આ રાસોત્સવને સફળ બનાવવા માટે ગુણવંતભાઇ ડેલાવાળા, કનૈયાલાલ ગજેરા, અનવરભાઇ ઠેબા, નીખીલભાઇ ભટ્ટ, કિરીટભાઇ આડેસરા, ધીરુભાઇ હીરાણી, હરેશભાઇ શાહ, આશાબેન ભુછડા, જયોતિબેન પીઠડીયા તથા કમીટી મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.