Abtak Media Google News

ગ્રુપના સંયોજક નાથાભાઇ ખાંડેખા, અને રાજુભાઇ બોરીચાના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાશે

જે માડી ગ્રુપ દ્વારા સતત ૧પ વર્ષથી દીકરીઓને નોરતા દરમિયાન પ્રસાદ લ્હાણી વિતરણનો સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. આ સેવા કાર્યના ભાગરુપે આ વર્ષે પણ કાલે દુર્ગા સમાન દીકરીઓને પ્રસાદી અને લ્હાણી વિતરણ કરી માતાજી  પ્રત્યેની આસ્થાને સભ્યો વ્યકત કરશે. નિ:સ્વાર્થ ભાવે ગરબે રમતી દીકરીઓને પ્રસાદી લ્હાણીનો પ્રસાદ પીરસી રાજી કરાશે.

Advertisement

કાલે ૩-૧૮ નવલનગર, સ્વામીનારાયણ ચોક પાસે જે માડી ગ્રુપ ખાતે કાર્યક્રમ યોજાશે જે માડી ગ્રુપના સંયોજક વડીલ નાથાભાઇ જુગાભાઇ ખાંડેખા, ભાજપના સનિષ્ઠ સેવક રાજુભાઇ બોરીચાના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજાશે. મેહુલભાઇ બોરીચાની સાથે વિજયભાઇ, મયુરભાઇ અને અન્ય સભ્યો જહેમત  ઉઠાવશે. સ્વ. રતિભાઇ બોરીચા, સ્વ. વિક્રમભાઇ બોરીચાની સ્મૃતિમાં આ સમગ્ર કાર્યક્રમ અર્પણ કરવામાં આવશે.

જય મેહુલભાઇ બોરીચાના જણાવ્યા મુજબ શહેરની વોર્ડ નં. ૧૧, ૧૨, ૧૩ માં થતી પ્રાચીન ગરબીની અંદાજે ૨૫૦૦ થી ૩૦૦૦ જેટલી બાળાઓને લહાણી અને પ્રસાદી (ભોજન) કરાવવામાં આવશે. ઉપરોકત વોર્ડની પ૦ ગરબીની બાળાઓન વસ્તુઓની ભેટ અપાશે. રવિવારે સવારે ૧૦.૩૦ થી ર સુધી સમગ્ર કાર્યક્રમ યોજાશે. જે માડી ગ્રુપ તરફથી દીકરીઓને સ્ટીલના વાસણની વસ્તુની ભેટ છેલ્લા ૧૫ વર્ષથી કરવામાં આવી રહ્યું છે. વાસણનીવસ્તુ દીકરીઓને ઉપયોગી બને તે હેતુથી વાસણની વસ્તુની ભેટ આપવાની પરંપરા જાળવી રાખવામાં આવશે. વધુ માહીતી જય મેહુલભાઇ બોરીચાનો મો. નં. ૯૦૧૬૩ ૧૧૧૧ પર સંપક સાધી શકશે.

કાર્યક્રમને સફળ બનાવવા આગેવાનોએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

રાજુભાઇ બોરીચા, મેહુલ બોરીચા, સંજય બોરીચા, જય બોરીચા, વીનય બોરીચા, અમીત બોરીચા,  વીજય બોરીચા, મયુર બોરીચા, દિનેશ ચાવડા મયુર માલા સહીતનાએ મહેનત કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.